Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રના ૧૦ દીપડા હવે ગુજરાતના વનતારાને સોંપી દેવાયા

મહારાષ્ટ્રના ૧૦ દીપડા હવે ગુજરાતના વનતારાને સોંપી દેવાયા

Published : 02 August, 2024 08:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ૧૦ દીપડાઓને જુન્નરથી વનતારા લઈ જવાયા હતા. બે ઍમ્બ્યુલન્સમાં ૧૦ દીપડાને લઈ જવાયા હતા

જુન્નર

જુન્નર


મહારાષ્ટ્રના જુન્નર જિલ્લામાં પકડાયેલા ૧૦ દીપડા (ચાર માદા અને છ નર)ને હવે જામનગરના વનતારા શેલ્ટરમાં ટ્રાન્સફર કરાયા છે. ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ (જુન્નર) અમોલ સાતપુતેએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘માર્ચથી મે દરમ્યાન આ દીપડાઓને માનવવસ્તીમાં આવીને હુમલો કર્યા બાદ પકડી લેવાયા હતા. જુન્નરમાં સમાવવાની પૂરતી વ્યવસ્થા ન હોવાથી રાજ્યના અન્ય સેન્ટરમાં એમને રાખવાની શક્યતા તપાસાઈ હતી.


જોકે એમાં પણ સફળતા ન મળતાં એમને હવે જામનગરના વનતારામાં શિફ્ટ કરાશે. સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી દિલ્હીથી એ માટે પરવાનગી આપવામાં આવી છે. અનંત અંબાણીએ શરૂ કરેલો વનતારા પ્રોજેક્ટ ૩૦૦૦ એકરમાં ફેલાયેલો છે અને એમાં દેશભરમાંથી ૨૦૦૦ જેટલાં પ્રાણીઓને બચાવીને લાવવામાં આવ્યાં છે. ઍર-કન્ડિશન્ડ ઍમ્બ્યુલન્સમાં આ ૧૦ દીપડાઓને જુન્નરથી વનતારા લઈ જવાયા હતા. બે ઍમ્બ્યુલન્સમાં ૧૦ દીપડાને લઈ જવાયા હતા, એક ઍમ્બ્યુલન્સ સ્ટૅન્ડ બાય રાખવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2024 08:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK