Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈકર્સને ફરી નહીં મળે પાણી, 27 મેથી મુંબઈના આ વિસ્તારમાં પાણી કાપ

મુંબઈકર્સને ફરી નહીં મળે પાણી, 27 મેથી મુંબઈના આ વિસ્તારમાં પાણી કાપ

26 May, 2023 10:50 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈના આ વિસ્તારના શહેરીજનોને ફરી એક વાર પાણીકાપ (Mumbai Water Cut)નો સામનો કરવો પડશે. મુંબઈ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(Brihanmumbai Municipal Corporation)એ ગુરુવારે જણાવ્યું હતું કે પાઈપલાઈન સમારકામના કામને કારણે પાણી કાપ રહેશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશની આર્થિક રાજધાની મુંબઈ(Mumbai)માં પાણીના સમસ્યા હંમેશા ઉભી હોય. ત્યારે ફરી એક વાર મુંબઈના આ વિસ્તારના શહેરીજનોને પાણીકાપ (Mumbai Water Cut)નો સામનો કરવો પડશે. મુંબઈ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(Brihanmumbai Municipal Corporation)એ ગુરુવારે જણાવ્યું હતું કે પાઈપલાઈન સમારકામના કામને કારણે જી સાઉથ અને જી નોર્થ વિભાગના ભાગોમાં શનિવાર 27 મે, સવારે 8 વાગ્યાથી 28 મે, સવારે 10 વાગ્યા સુધી પાણી પુરવઠો પ્રભાવિત રહેશે.

દાદર પશ્ચિમ વિસ્તારમાં 1450 મીમી વ્યાસની તાનસા પાણીની ચેનલનું સમારકામ પૂર્ણ કરવા માટે તેનું કામ શનિવાર 27 મે 2023 સુધી સવારે 8 વાગ્યાથી રવિવાર 28 મે 2023 સુધી સવારે 10 વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે. તેથી આ 26-કલાકના સમયગાળા દરમિયાન જી દક્ષિણ અને જી ઉત્તરના વિસ્તારોમાં પાણીકાપ રહેશે. 



દાદર (પશ્ચિમ)માં સેનાપતિ બાપટ માર્ગ અને કાકાસાહેબ ગાડગીલ માર્ગના જંકશન પર સ્થિત હાલની 1,450 મીમી વ્યાસની તાનસા પૂર્વ અને પશ્ચિમ મુખ્ય જળ ચેનલ પર જળ ઈજનેરી વિભાગ રિપેરિંગ કાર્ય હાથ ધરશે. આ કાર્ય શનિવાર 27 મે 2023 ના રોજ સવારે 8 વાગ્યે શરૂ થશે અને 28 મે 2023 ને રવિવારે સવારે 10 કલાકે પૂર્ણ થશે. આંતરિક લીકેજ શોધવા માટે સમગ્ર પાણીની ચેનલનો પુરવઠો બંધ કરવાની જરૂરિયાત ઉભી થશે. આથી પાણીનો કાપ મુકીને ચોક્કસ લીકેજ શોધી કાઢ્યા બાદ પેચ વર્ક દ્વારા સમારકામ પૂર્ણ કરવામાં આવશે. હાલ પાણીના ઈજનેરી વિભાગે માહિતી આપી છે કે લીકેજ શોધવાની પ્રાથમિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


આ પણ વાંચો: BMC: `મિશન એડમિશન` બાદ હવે પાલિકાના શિક્ષણ વિભાગનું આ છે નવું મિશન, જાણો વિગત

આ સમયગાળા દરમિયાન જી-સાઉથ (G-South) અને જી-નોર્થ (G-North)ના નીચેના વિસ્તારોમાં પાણી પુરવઠો રહેશે નહીં:


જી નોર્થ વિભાગ

સમગ્ર માહિમ વેસ્ટ, માટુંગા વેસ્ટ, દાદર વેસ્ટ વિભાગ, સેનાપતિ બાપટ માર્ગ, વીર સાવરકર માર્ગ, ગોખલે રોડ, કાકાસાહેબ ગાડગીલ માર્ગ, એલજે માર્ગ, સયાની માર્ગ, ભવાની શંકર માર્ગ, મોરી માર્ગ, સેના ભવન પરિસર, ટી.એચ. 27 મેના રોજ સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કટારિયા માર્ગ, કાપડ બજારના વિસ્તારોમાં પાણી પુરવઠો રહેશે નહીં.

આ પણ વાંચો: ઝૂંપડપટ્ટીના લોકોને અઢી લાખ રૂપિયામાં મળશે ફ્લૅટ

જી સાઉથ વિભાગ

દિલાઈ રોડ BDD, સમગ્ર પ્રભાદેવી પરિસર, જનતા વસાહત, સમગ્ર લોઅર પરેલ વિભાગ, પાંડુરંગ બુધકર માર્ગ, સેનાપતિ બાપટ માર્ગ, ગણપતરાવ કદમ માર્ગ, જોશી માર્ગ, વીર સાવરકર માર્ગ, એસ.એસ. અમૃતવાર વિસ્તારોમાં 27 મેના રોજ બપોરે 2.30 થી સાંજે 7 વાગ્યા સુધી પાણી પુરવઠો નહીં મળે.

આ ઉપરાંત જોશી માર્ગ, દિલાઈ રોડ BDD, સખારામ બાલા પવાર માર્ગ, મહાદેવ પાલવ માર્ગ, ધોબીઘાટ, સાતરસ્તા વિસ્તારમાં 28 મેના રોજ સવારે 4 થી 8 સુધી પાણી પુરવઠો રહેશે નહીં.

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2023 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK