ભારતે 29 નવેમ્બરના રોજ યુએસ સરકાર દ્વારા હાઇલાઇટ કરાયેલી સુરક્ષાની ચિંતાઓને દૂર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી હતી. યુએસ સ્ટેટ સેક્રેટરીએ પણ ભારત દ્વારા રચાયેલી તપાસ પેનલનું સ્વાગત કર્યું અને કહ્યું કે "તે સારું અને યોગ્ય છે". વ્હાઈટ હાઉસના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું કે, ભારત વ્યૂહાત્મક ભાગીદાર રહ્યું છે પરંતુ અમેરિકા કથિત હત્યાના કાવતરાને `ખૂબ જ ગંભીરતાથી` લે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે 30 નવેમ્બરે ભારતીય નાગરિક સામેના આરોપને અનસીલ કર્યા હતા. ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા સામે ભાડેથી હત્યાના આરોપમાં યુએસનો આરોપ અનસીલ કરવામાં આવ્યો હતો.