Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ચાલુ ફ્લાઇટમાં એક મુસાફરને થયાં ઝાડા-ઊલટી, ગંધાઈ ઉઠ્યું પ્લેન અને પછી...

ચાલુ ફ્લાઇટમાં એક મુસાફરને થયાં ઝાડા-ઊલટી, ગંધાઈ ઉઠ્યું પ્લેન અને પછી...

Published : 06 September, 2023 10:31 AM | Modified : 06 September, 2023 11:24 AM | IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ડેલ્ટા ફ્લાઇટ194એ એટલાન્ટાથી ઉડાન ભરી હતી. આ ફ્લાઇટ બાર્સેલોના જઈ રહી હતી. ત્યારે એક વ્યક્તિને ઝાડા થઈ જવાથી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. 

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


ઘણી વખત જરૂર પડે ત્યારે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવતું હોય છે. જ્યારે ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાય કે પછી હવામાન ખૂબ જ ખરાબ હોય ત્યારે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવે છે. ડેલ્ટા ફ્લાઇટ194 એ એટલાન્ટા, જ્યોર્જિયાથી ઉડાન ભરી હતી. આ ફ્લાઇટ એટલાન્ટાથી બાર્સેલોના જઈ રહી હતી. ત્યારે એક વ્યક્તિને ઝાડા થઈ જવાથી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.


સામાન્ય રીતે આ બે કારણોસર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવે છે. પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ડેલ્ટા ફ્લાઇટ194 એ એટલાન્ટા, જ્યોર્જિયાથી ઉડાન ભરી હતી. આ ફ્લાઇટ એટલાન્ટાથી બાર્સેલોના જઈ રહી હતી. 



પ્લેનની આખી મુસાફરી 8-9 કલાકની હતી. જોકે, એક વ્યક્તિને ખૂબ જ ઝાડા થઈ ગયા હતા. એક પેસેન્જરની ઝાડા થવાની ફરિયાદ કરતાં જ ફ્લાઈટને એટલાન્ટા પરત ફરવું પડ્યું હતું. ફ્લાઇટ ટેકઓફ થયાને માત્ર 2 કલાક જ થયા હતા જ્યારે એક વ્યક્તિને વારંવાર ઝાડા થતાં હતા. આ સમસ્યાને કારણે તે મુસાફરના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાઇલટે એટલાન્ટા પાછા જવાની માહિતી આપી હતી.  મળતી માહિતી મુજબ ઝાડા-ઊલટીના કારણે બીમાર વ્યક્તિની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેને વારંવાર ઝાડા કરવા જવું પડતું હતું.


એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું હતું કે વ્યક્તિએ આખી ફ્લાઈટ ગંદી કરી દીધી હતી. આ કારણોસર પાઇલટે ફ્લાઇટને એટલાન્ટામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

ડેલ્ટા ફ્લાઇટના અધિકારીઓએ પણ ફ્લાઈટમાં બનેલી આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને લેન્ડિંગ બાદ આખી ફ્લાઈટની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. ઝાડા-ઊલટીના કારણે બીમાર વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી. જેના કારણે ફ્લાઈટમાં હાજર લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં સુધી ફ્લાઈટ સંપૂર્ણપણે સાફ થઈ ન જાય ત્યાં સુધી મુસાફરોએ બીજી ફ્લાઈટની રાહ જોવી પડી હતી. સફાઈ કર્યા પછી જ તમામ મુસાફરોને બાર્સેલોના પાછા મોકલવામાં આવ્યા હતા.


એક મુસાફરે આ આખી ઘટના વિશે કહ્યું કે ફ્લાઈટના કોરિડોરમાંથી ગંદકી ટપકતી હતી. ભયંકર વાસ આવતી હતી. એટલાન્ટામાં ઈમરજન્સી લેન્ડિંગ બાદ ફ્લાઈટને સંપૂર્ણ રીતે સેનિટાઈઝ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આવી વારંવાર ફ્લાઈટમાં ઘણી વિચિત્ર ઘટનાઓ જોવા મળતી હોય છે. એક વ્યક્તિને કારણે અન્ય મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. ક્યારેક ચાલુ ફ્લાઇટમાં કોઈ પેસેન્જર ફ્લાઈટની બારી ખોલી નાખે છે તો ક્યારેક કોઈ નજીવી બાબતને લઈને બે પેસેન્જર્સ વચ્ચે ઝઘડો શરૂ થઈ જાય છે.

તાજેતરમાં જ એક એવો પણ કિસ્સો બન્યો હતો કે જેમાં એક વ્યક્તિએ પાઈલટને થોડા વધુ સમય માટે પ્લેન ઉડાવવાનું ચાલુ રાખવાની અપીલ કરી હતી. આ પાછળનું કારણ એટલું જ હતું કે તે તેના પુત્રને હજી વધુ સમય સુધી ફ્લાઈટમાં બેસી રહેવાનો આનંદ મમળવવા દેવા માગતો હતો.

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2023 11:24 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK