જ્યારે સલિલ ત્રિપાઠીનું ટ્વિટર એકાઉન્ટ એક કવિતાને કારણે થયું સસ્પેન્ડ
સલિલ ત્રિપાઠી
જાણીતા પત્રકાર અને માનવ અધિકારના કર્મશીલ સલિલ ત્રિપાઠીનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું છે કારણકે તેમણે બાબરી મસ્જિદના ધ્વંસ, ગુજરાત અને 1947ની પૃષ્ઠભૂમિના આધારે લખેલી એક અત્યંત લાગણીસભર કવિતાનો વીડિયો ટ્ટિટર પર પોસ્ટ કર્યો હતો. આ કવિતામાં 6 ડિસેમ્બર 1992માં થયેલા બાબરી ધ્વસંની વાત હતી અને 6 ડિસેમ્બરને પગલે સલિલ ત્રિપાઠીએ આ કવિતા પઠન કરતો વીડિયો શૅર કર્યો. અનેક લેખકો, પત્રકારો, કર્મશીલ તમામે આ ટ્વિટરના એકાઉન્ટ સસ્પેન્ડ કરવાના પગલાંને આકરા શબ્દોમાં વખોડ્યું. આ તમામ પ્રતિક્રિયાઓ પહેલાં જાણીએ કે આખરે એ કવિતામાં એવું છે શું?
સલિલ ત્રિપાઠીની આ કવિતાનું ટાઇટલ છે 'માય મધર્સ ફૉલ્ટ', એટલે કે 'મારી માનો વાંક'. જે કવિતાને લઇને આટલો બધો ઉહાપોહ થયો તેનો અધિકૃત ગુજરાતી અનુવાદ કવિયેત્રી પ્રતિષ્ઠા પંડ્યા દ્વારા કરવામાં આવ્યો છે જે અહીં પ્રકાશિત કર્યો છે.
મારી માનો વાંક
ADVERTISEMENT
તું જ નીકળી’તી
ઝંડો લઈને
સાત વરસની છોકરીઓ સાથે
સવાર સવારમાં
ગુજરાતની શેરીઓમાં
આઝાદીનાં ગીતો ગાતી
એમ માનીને કે
તું શરમાવશે અંગ્રેજોને
એ સૌ ચાલ્યા જશે
ગયાં, પાંચ વરસ પછી, એ ગયાં
તું હસેલી હળવું
મકબૂલ ફીદા હુસેને બનાવેલાં
હિંદુ દેવીઓનાં નગ્ન રેખાચિત્રો જોઈને.
અને હસેલી ખડખડાટ
જ્યારે મેં કહેલું કે
એ લોકો ભસ્મ કરવા માગે છે
એ રેખાચિત્રો
“આપણાં જૂનાં શિલ્પો જોયા છે
એ લોકોએ ?
આનાથી કંઈક ચડે એવા છે.”
તેં કહેલું.
તારો અવાજ તરડાયેલો હતો
ડિસેમ્બર ૬ ૧૯૯૨
તેં મને સિંગાપોરની
મારી ઓફિસમાં ફોન કરેલો
જ્યારે
“એમણે બાપુને ફરી એકવાર માર્યા.”
ખરેખર મારેલા.
“આવું તે કરાય કોઈ દિવસ ?”
તેં પૂછેલું
હેબતાઈ ગયેલી તું
ટેલિવિઝન સામે તાકતી
અવાક
હિંદુઓનાં ટોળેટોળાં
ઘર-ઘર ફરી વળતાં
શોધતાં રહેંસી નાખવા
મુસલમાનોને
ગોધરાની ટ્રેનના એ ડબ્બામાં
બળી ગયા
૫૮ હિંદુઓ
ફેબ્રુઆરી ૨૦૦૨ પછી.
તું સાચી હતી
દર વખતે.
મારું લખ્યું બધું વાંચ્યા પછી
હવે કોઈ લોકો ફરિયાદ કરે છે
કહે છે
મને ગતાગમ નથી
પરદેશ રહ્યો છું
હું શું જાણું ઇન્ડિયા વિશે ?
પણ
હું તને જાણું છું
એટલું બસ છે
અને એટલે જ તો
હું આવો પાક્યો છું!
(આ કવિતા સૌથી પહેલાં સલિલ ત્રિપાઠીના પુસ્તક ઓફેન્સઃ ધી હિન્દુ કેસમાં 2009માં પ્રકાશિત થઇ હતી. આ પુસ્તક સિગલ બૂક્સ દ્વારા પ્રકાશિત કરાયું છે.)
આ કવિતામાં સલિલ ત્રિપાઠીએ બાબરી ધ્વંસના ભયંકરતા, 2002ના રમખાણો અને ગોધરા કાંડના ઝનૂન અને એમ એફ હુસેનના ચિત્રોને લઇને આવેલી આકરી પ્રતિક્રિયાઓને સર્જનાત્મકતાથી ટાંકી છે. આ કવિતામાં કવિ પોતાની વિચારધારા અમૂક દિશામાં છે તેની પાછળનું સજ્જડ કારણ આપે છે કે જ્યારે માએ અમુક તમુક ઘટનાઓ અંગે પ્રતિભાવ આપ્યા હતા ત્યારે એક દીકરા તરીકે તે જ સમજણમાં ઘુંટાયા. નવાઇની વાત એ છે કે આ કવિતા નવી નથી, તે 2009માં પ્રકાશિત થઇ ચૂકી છે પણ આજે જ્યારે લોકો નાની અમસ્તી વાતમાં ય વાંક જોતા થયા છે કે લોકોની લાગણીઓ સાવ ક્ષુલ્લક વાતમાં ઘવાય છે ત્યારે આ કવિતાની સર્જનાત્મકતાનું મૂલ્ય ન થતા તેની કિંમત થઇ ગઇ જે ખરેખર પીડાદાયક છે. સલિલ ત્રિપાઠી ધી વૉલ સ્ટ્રીટ જનરલ, ધી ઇન્ટરનેશનલ હેરાલ્ડ ટ્રિબ્યુન, વોશિંગ્ટન પોસ્ટ, ધી ન્યૂ યોર્ક ટાઇમ્સ, ધી ન્યુ રિપબ્લિક, ધી ન્યૂ યોર્કર અને ધી સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલ્સ જેવા અનેક પબ્લિકેશન્સ માટે નિયમિત લખતા આવ્યા છે. તેઓ હાલમાં PEN ઇન્ટરનેશનલના રાઇટર્સ પ્રિઝન કમિટીના વડા છે. તેમને જર્નાલિઝમમાં હ્યુમન રાઇટ્સના વિષય પર લખવા બદલ 2015માં મુંબઇ પ્રેસક્લબનો રેડ ઇંક એવોર્ડ પણ એનાયત થયો છે.
તેમનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થવાને પગલે સાહિત્ય, રાજકારણ અને પત્રકારત્વ જગતમાંથી પડઘા ઉઠ્યા છે અને આ આખી વાતની આકરી ટિકા કરવામાં આવી છે. મજાની વાત એ છે કે લોકોએ ટ્વિટર સામેનો પોતાનો રોષ અને અણગમો ટ્વિટર પર જ ઠાલવ્યા હતા.
શશી થરૂરે તેમના ટ્વીટમાં આ રીતે પોતાનો અભિપ્રાય આપ્યો હતો...
I can’t believe this. How on earth could @Twitter suspend the account of a highly respected writer, author & human rights activist? Do their algorithms have no human being applying common sense before undertaking such actions? #SalilTripathi pic.twitter.com/nVZLvvZzi3
— Shashi Tharoor (@ShashiTharoor) December 7, 2020
જાણીતા લેખક અને ઇતિહાસકાર વિલિયમ ડાર્લિમ્પલે કંઇક આ રીતે ટ્વિટરના પગલાંની ટિકા કરી.
Why has @saliltripathi, the respected poet, writer and chair of the PEN Writers in Prison committee had his Twitter account suspended? Salil is a well known advocate of non-violence and human rights. Seems most bizarre.@TwitterIndia @jack
— William Dalrymple (@DalrympleWill) December 7, 2020
મિડનાઇટ્સ ચિલ્ડ્રનના લેખક સલમાન રશ્દીએ પણ આ ઘટનાને વખોડી છે. આ આખી વાતને તેમણે સેન્સરશીપનું ભયાનક પગલું ગણાવ્યું છે.
This is an outrageous act of censorship against one of the most important advocates of free speech. @Twitter stop it now! @jack what’s going on? https://t.co/Rwig7c3FHo
— Salman Rushdie (@SalmanRushdie) December 6, 2020
મેક્સિમમ સિટીના સર્જક સુકેતુ મહેતાએ પણ સલિલના યોગદાનની મહત્તાને ટાંકીને આ રીતે તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવું યોગ્ય નથી તેવી લાગણી વ્યક્ત કરી હતી.
Salil Tripathi is one of our most important human rights activists. Absolutely unacceptable for @TwitterIndia to suspend his account. India need's Salil's voice!
— Suketu Mehta (@suketumehta) December 6, 2020
મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ જીતનારા અમિતવ ઘોષે પણ આઘાત વ્યક્ત કર્યો હતો.
Beyond astonished to learn that Salil Tripathi's @Twitter account (@saliltripathi) has been suspended. Salil is an outstanding journalist, writer and human rights activist. He is also the chair of PEN International's Writers in Prison Committee. @pen_int @ayadakhtar
— Amitav Ghosh (@GhoshAmitav) December 6, 2020
સલિલ ત્રિપાઠીનું એકાઉન્ટ રવિવારે સસ્પેન્ડ કરાયું. જાણીતા પત્રકાર આકાર પટેલે પણ આ અંગે ટ્વીટ કર્યું હતું અને ધારદાર કટાક્ષ કર્યો હતો.
If Twitter encounters Saint @saliltripathi in custody we will move UNESCO.
— Aakar Patel (@Aakar__Patel) December 7, 2020
Keeping fast tomorrow for martyrdom of Saint @saliltripathi
— Aakar Patel (@Aakar__Patel) December 6, 2020
લેખક મીરા કામદારે તો ટ્વિટરે, સલિલ ત્રિપાઠીની માફી માંગીને તેમનું એકાઉન્ટ રિસ્ટોર કરવું જોઇએ તેવી માંગ કરી.
This is outrageous @Twitter. Eminent author, essayist #SalilTripathi’s account must be immediately restored — with apologies. https://t.co/WKUM2PtIZh
— Mira Kamdar (@mirakamdar) December 6, 2020
અન્ય ટ્વિટર યૂઝરે પણ આ આખી વાતને લાગણીનું અપમાન ઠેરવીને કંઇ આ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો.
It is a shame that Sanghis and @twitter fear this heartfelt tribute from a son to his mother. Where is the hate, outrage or sedition in this simple outpouring by #SalilTripathi, one of the sanest voices on Twitter? #BringbackSalilTripathi pic.twitter.com/pTyRYZMFIx
— LEENA (@kunfaaya) December 7, 2020
ફિલ્મ મેકર અને વરિષ્ઠ પત્રકાર બીના સરવારે પોતાની પ્રતિક્રિયા આ શબ્દોમાં બાંધી હતી.
Getting #SalilTripathi account suspended was update no. 2030 of this #trollarmy whose sole reason for being on #socialmedia appears to be to target those who promote #Peace #RationalThinking #Secularism and thus counter the #rightwing #Nationalist agenda #India pic.twitter.com/1PwdRZzzH1
— beena sarwar (@beenasarwar) December 7, 2020
જુઓ અન્ય પ્રતિક્રિયાઓ જેમાં ટ્વિટરનું આ પગલું સતત ટિકાને પાત્ર બની રહ્યું છે.
The poem for which Salil Tripathi's handle was suspended. Kindly share this. https://t.co/noImiMfYYD
— Munk (@_Drunkenmunk) December 7, 2020
રાજદીપ સરદેસાઇએ પણ કંઇ આ રીતે પોતાનો મત રજૂ કર્યો હતો.
Blocking @saliltripathi handle on twitter is outrageous. There isn’t a single tweet of Salil, a senior journalist and human rights activist; that justifies this. Why doesn’t twitter act against hateful anonymous handles that spread lies/venom? Or is this the twitter biz model?
— Rajdeep Sardesai (@sardesairajdeep) December 7, 2020
હંમેશા પોતાના વિચારોને સ્પષ્ટતાથી રજૂ કરનારા વિશાલ દદલાનીએ પણ આ વાતથી પોતાને આઘાત લાગ્યો હોવાની લાગણીનો પડઘો પાડ્યો હતો.
Hi @TwitterIndia @Twitter are you guys stupid, or do you subscribe to the ideology of hate that @saliltripathi denounces? Or both? Those are the only viable explanations. https://t.co/DXtH79R975
— VISHAL DADLANI (@VishalDadlani) December 7, 2020
વકીલ અને એક્ટિવિસ્ટ પ્રશાંત ભૂષણ જેમને સુપ્રિમ કોર્ટે કોન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ હેઠળ દોષી ઠેરવ્યા હતા અને તેમના બે ટ્વીટ્સ બદલ તેમને એક રૂપિયાનો દંડ ફટકાર્યો હતો તેમણે ટ્વિટરના આ પગલાંને આઉટરેજિયસ એટલે કે ભયંકર ગણાવ્યું.
Outrageous!Twitter suspended account of Journalist Salil Tripathi, chair PEN International’s Writers in Prison. One of his tweets reported as “offensive” was a video of Tripathi performing a poem he had written for mother,on the demolition of Babri Masjid! https://t.co/KeTDwyZvdR
— Prashant Bhushan (@pbhushan1) December 7, 2020
આતિશ તાસિર જે જાણીતા લેખક છે તેમણે પણ સલિલ ત્રિપાઠીનો સાથ આપતા પોતાની વાત રજૂ કરી.
This is astonishing. First @Facebook, now @TwitterIndia. What we need to ask ourselves is whether it is the express policy of US information companies to collude with authoritarian regimes—to behave abroad as they would never behave at home. https://t.co/KhXbQCspeX
— Aatish Taseer (@AatishTaseer) December 6, 2020
વરિષ્ઠ પત્રકાર શેખર ગુપ્તાએ આકરા શબ્દોમાં ટ્વિટરના રેવન્યુ મૉડલને ઝાટક્યું હતું.
Nothing on Salil Tripathi handle would justify blocking it. If twitter has any interest in restoring civility, it should stop allowing anonymity & bots. Both are used to spread lies & hatred. Of course, twitter wont do it, because that’s the revenue model
— Shekhar Gupta (@ShekharGupta) December 7, 2020
દિલ્હીની પત્રકાર અને લેખક નિલાંજના રોયે પોતાનો પ્રતિભાવ આ શબ્દોમાં ટાંક્યો હતો.
Why has @saliltripathi's Twitter account been suspended?
— Nilanjana Roy (@nilanjanaroy) December 6, 2020
Earlier today, he'd tweeted about the demolition of the #babrimasjid, expressing the continuing anguish many also feel — hope @TwitterIndia will restore his voice soonest. pic.twitter.com/3Ul3kQfvOe
ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ પણ ટ્વિટરનું આ પગલું ખોટું છે તેમ કહી ટ્વિટરને આસ્થા ચેનલ બની જવા કહ્યું હતું.
If @twitter goes on suspending and censoring handles like this, soon it will become like Aastha Channel full of only GM and motivational posts.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) December 6, 2020
I stand for FoE of @saliltripathi and everyone else irrespective of their ideology. pic.twitter.com/za1FH45ubl
આખીય ઘટના અંગે યુએસએ સ્થિત સલિલ ત્રિપાઠી સાથે જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમએ વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, "'ટ્વિટર એક ખાનગી કંપની છે અને તેમનું કહેવું છે કે તેમની પૉલીસીને આધારે તેઓ નક્કી કરે છે કે તેમના પ્લેટફોર્મ પર શું કહી શકાય અને શું નહીં. આ તેમનો અધિકાર છે. પ્લેટફોર્મ પર મારે શું કહેવું એ મારો અધિકાર છે. જ્યારે ટ્વિટર કોઇને પણ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરે ત્યારે તેમણે તૈયાર રહેવું પડે કે તેમને 'જજ' કરાશે, તેમને અંગે પણ લોકો અભિગમ બાંધશે, જો તેઓ આ નીતિઓ સતત અને કોઇપણ પ્રકારના ભેદભાવ વગર લાગુ કરતા હોય તો ખાસ. જો કે આ મામલે તેમનો રેકોર્ડ ઘણો નબળો રહ્યો છે. મેં એવું કશું પણ નથી કર્યું જે અંગે મારે અફસોસ વ્યક્ત કરવો જોઇએ; હવે નિર્ણય એમણે કરવાનો છે, બૉલ તેમના કોર્ટમાં છે."
ટ્વિટરને જ્યારે અમુક સવાલો સાથે ઇમેઇલ કરાયો ત્યારે તેમના તરફથી જવાબ વાળવામાં આવ્યો કે, "તમે જે એકાઉન્ટ સંદર્ભે સવાલ કરી રહ્યા છો તે હંગામી ધોરણે સસ્પેન્ડ કરાયું છે કારણકે તેના પરથી થયેલ પોસ્ટ અમારી 'એબ્યુઝિવ બિહેવિયર પૉલિસી'નો ભંગ કરનારી હતી. એકાઉન્ટ હોલ્ડરને ફરી એક્સેસ જોઇતો હોય તો તેણે એબ્યુઝિવ કોન્ટેન્ટને એડિટ કરવું પડશે અથવા હટાવી લેવું પડશે." આ પછી તેમણે ઉમેર્યું હતું કે અહીં જે નિયમો લાગુ પડે છે તે વિશે આ લિંક પરથી જાણી શકાશે અને તેના નિયમોને લગતી લિંક પણ શૅર કરી હતી.
આ પહેલા ટ્વિટરે જૂનમાં લેખક પત્રકાર આકાર પટેલનું ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કર્યું હતું, તેમને 2જી સપ્ટેમ્બરે અટકમાં લેવાયા હતા કારણકે તેમની સામે ભાજપા સુરત પશ્ચિમના એમએલએ પુર્ણેશ મોદીએ ફરિયાદ નોંધાવી હતી. આકાર પટેલે ગુજરાતની ઘાંચી કોમની વિરુદ્ધ અયોગ્ય ટ્વીટ્સ કર્યા હોવાના આરોપ તેમની પર મૂકાયો હતો. આકાર પટેલ એમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે.
(ઇનપુટ્સઃ કાર્તિક ભારદ્વાજ)