Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Nobel Prize 2022: સ્વાંતે પાબોને મેડિસિન માટે મળ્યો નોબેલ પુરસ્કાર, જાણો વિગત

Nobel Prize 2022: સ્વાંતે પાબોને મેડિસિન માટે મળ્યો નોબેલ પુરસ્કાર, જાણો વિગત

03 October, 2022 05:22 PM IST | Stockholm
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સ્વાંતે પાબો ઉત્ક્રાંતિ આનુવંશિકતામાં વિશેષતા ધરાવતા સ્વીડિશ જેનેસિસ્ટ છે

તસવીર સૌજન્ય: નોબેલ પ્રાઇઝનું ટ્વિટર એકાઉન્ટ

તસવીર સૌજન્ય: નોબેલ પ્રાઇઝનું ટ્વિટર એકાઉન્ટ


સ્વીડિશ વૈજ્ઞાનિક સ્વાંતે પાબો (Svante Paabo)ને ફિઝિયોલોજી/મેડિસિન માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. લુપ્ત થઈ ગયેલા હોમિનિન અને માનવ ઉત્ક્રાંતિના જીનોમ સંબંધિત તેમની શોધ માટે તેમને આ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ વિજ્ઞાનની દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર ગણવામાં આવે છે, તે સ્વીડનના કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટની નોબેલ એસેમ્બલી દ્વારા એનાયત કરવામાં આવે છે.

સ્વાંતે પાબો ઉત્ક્રાંતિ આનુવંશિકતામાં વિશેષતા ધરાવતા સ્વીડિશ જેનેસિસ્ટ છે. પેલેઓજેનેટિક્સના સ્થાપકોમાંના એક તરીકે, તેમણે નિએન્ડરથલ જીનોમ પર વ્યાપકપણે કામ કર્યું છે. પુરસ્કારની જાહેરાત કરતાં, નોબેલ પ્રાઈઝ કમિટીએ કહ્યું કે, “તેમના અગ્રણી સંશોધન દ્વારા, સ્વાંતે પાબોએ અશક્ય લાગતું કંઈક સિદ્ધ કર્યું છે. તેમણે અજાણ્યા હોમિનિન ડેનિસોવાની શોધ પણ કરી હતી.”



નોબેલ શાંતિ પુરસ્કાર શુક્રવારે જાહેર થશે


આ એવૉર્ડ એવા સમયે આપવામાં આવ્યો છે જ્યારે કોવિડ રોગચાળાએ તબીબી સંશોધનને કેન્દ્રમાં રાખ્યું છે. આ જાહેરાત બાદ મંગળવારે ભૌતિકશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર, બુધવારે રસાયણશાસ્ત્ર અને ગુરુવારે સાહિત્યનું નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. નોબેલ શાંતિ પુરસ્કાર શુક્રવારે જાહેર કરવામાં આવશે અને અર્થશાસ્ત્ર પુરસ્કાર 10 ઑક્ટોબરે જાહેર કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2022 05:22 PM IST | Stockholm | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK