Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > આજથી ૧૮ વર્ષ પહેલાં આ જ દિવસે કુદરતી આફતે લીધો હતો લાખો લોકોનો ભોગ

આજથી ૧૮ વર્ષ પહેલાં આ જ દિવસે કુદરતી આફતે લીધો હતો લાખો લોકોનો ભોગ

Published : 26 December, 2022 08:20 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

18 વર્ષ પહેલાં ક્રિસમસની ઉજવણી કર્યાના બીજા જ દિવસે આ ભયંકર આફત ત્રાટકી હતી

તસવીર/આઈસ્ટોક

તસવીર/આઈસ્ટોક


26 ડિસેમ્બર, 2004. આ એ ઈતિહાસની તારીખ છે જ્યારે એક વિનાશકારી તોફાની આફતે વિશ્વના ઘણા દેશોમાં લખો લોકોનો ભોગ લીધો હતો. હિંદ મહાસાગર (Indian Ocean)માં સુનામી (2004 Tsunami) આવી, જે છેલ્લા 40 વર્ષમાં જોવા મળી ન હતી. 9.1ની તીવ્રતાના ભૂકંપના કારણે દરિયામાં 65 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં હતાં. આ સુનામીના કારણે માત્ર ભારતમાં 12 હજાર 405 લોકોનાં મોત થયાં હતાં. તો 3,874 લોકો ગુમ થયા હતા. એટલું જ નહીં 12 હજાર કરોડ રૂપિયાનું નુકસાન પણ થયું હતું.

18 વર્ષ પહેલાં ક્રિસમસની ઉજવણી કર્યાના બીજા જ દિવસે આ ભયંકર આફત ત્રાટકી હતી. ક્રિસમસની રજા માણવા દરિયા કિનારે આવેલા દેશોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા. ભારતમાં પણ આવી જ સ્થિતિ હતી. બીજા દિવસે સવારે 6.28 વાગ્યાની વચ્ચે દરિયાના સુંદર મોજાએ એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે ગભરાટ ફેલાઈ ગયો. આ વિનાશની અસર ભારત સહિત હિંદ મહાસાગરના 14 દેશોમાં જોવા મળી હતી. બ્રિજ, ઈમારતો, વાહનો, પ્રાણીઓ, વૃક્ષો અને મૃતદેહો સમુદ્ર સપાટી પર વહેતા જોવા મળ્યા.



ભારતમાં, તામિલનાડુમાં 8 હજારથી વધુ મૃત્યુ થયા હતા. આંદામાન-નિકોબારમાં 3 હજાર 515 મૃત્યુ થયા હતા. આ સિવાય પુડુચેરીમાં 599, કેરળમાં 177 અને આંધ્રપ્રદેશમાં 107 લોકોનાં મોત થયાં છે. પાડોશી દેશ શ્રીલંકામાં 13 અને માલદીવમાં 1 ભારતીયનું મોત થયું હતું. કુલ 14 દેશોમાં મૃત્યુઆંક વધીને 2 લાખથી વધુ થઈ ગયો છે.


સુનામી દરમિયાન પાણીના ઊંચા મોજા 800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતા હતા. લોકોને તૈયારી કરવાની તક પણ મળી ન હતી. ઈન્ડોનેશિયા બાદ સૌથી વધુ નુકસાન શ્રીલંકામાં થયું હતું. અહીં 35 હજારથી વધુ લોકોના મોત થયા હતા. સેંકડો માછીમારો ગુમ થયા હતા. આ પહેલા ચીનમાં આવી કુદરતી આફત આવી હતી. 1931માં ચીનમાં પૂરના કારણે 10 લોકોનાં મોત થયાં હતાં. તે જ સમયે, 1970માં બાંગ્લાદેશમાં આવેલા ચક્રવાતે 3 લાખ લોકોના જીવ લીધા હતા.

આ પણ વાંચો: ચીનમાં કોરોનાને કારણે બ્લડની શૉર્ટેજ સર્જાઈ


આ સુનામીના કારણે સૌથી વધુ નુકસાન ઈન્ડોનેશિયામાં થયું હતું કારણ કે તે સુનામીનું કેન્દ્ર હતું. ઈન્ડોનેશિયાના ઉત્તર ભાગમાં આવેલા આચેહમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે સમુદ્રની અંદર ઊભી થયેલી સુનામીએ ભારત સહિત અનેક દેશોમાં ભારે તબાહી મચાવી હતી. સૌથી વધુ મૃત્યુ પણ ઈન્ડોનેશિયામાં થયા હતા. અહીં 1.28 લાખ લોકોનાં મોત થયાં અને 37 હજારથી વધુ લોકો ગુમ થઈ ગયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

26 December, 2022 08:20 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK