Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં કેજરીવાલનું વચન, કચ્છના ખૂણે ખૂણે પહોંચાડીશું નર્મદાનું પાણી 

ગુજરાતમાં કેજરીવાલનું વચન, કચ્છના ખૂણે ખૂણે પહોંચાડીશું નર્મદાનું પાણી 

01 October, 2022 08:27 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા તમામ પાર્ટીઓએ પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. તમામ પક્ષોના ટોચના નેતાઓ સતત રાજ્યની મુલાકાતે છે.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ


ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા તમામ પાર્ટીઓએ પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. તમામ પક્ષોના ટોચના નેતાઓ સતત રાજ્યની મુલાકાતે છે. શનિવારે ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમની પાર્ટી સત્તામાં આવ્યા બાદ દરેક ગામમાં સરકારી શાળાઓ બનાવવામાં આવશે.

કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ પહોંચ્યા છે.. કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં એક રેલીને સંબોધતા કેજરીવાલે કહ્યું કે, “ગરીબ પરિવારોના સરકારી શાળાના વિદ્યાર્થીઓ દિલ્હીમાં મેડિકલ અને એન્જિનિયરિંગના અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈ રહ્યા છે. તેઓ સારા પગારવાળી નોકરીઓ મેળવીને તેમના પરિવારોને ગરીબીમાંથી બહાર કાઢશે. પરંતુ ગુજરાતમાં સત્તાધારી ભાજપ શાળાઓ બંધ કરી રહી છે.



કેજરીવાલે વધુમાં કહ્યું કે `હું વચન આપું છું કે સત્તામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતના દરેક ગામમાં સરકારી શાળાઓ બનાવાશે. અમે નર્મદાનું પાણી કચ્છના ખૂણે ખૂણે પહોંચાડીશું. તમારા બાળકોના ભવિષ્ય માટે આમ આદમી પાર્ટીને તક આપો.`


AAP નેતાએ એમ પણ કહ્યું કે સત્તામાં આવ્યા પછી, તેમની પાર્ટી લોકોને મફત અને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવા માટે ગુજરાતના 33 જિલ્લામાં પ્રત્યેક એક સરકારી હોસ્પિટલનું નિર્માણ કરશે. કેજરીવાલે વધુમાં કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓને દર મહિને અનુક્રમે પાંચ હજાર યુનિટ અને ચાર હજાર યુનિટ વીજળી મળી રહી છે, પરંતુ અહીંની રાજ્ય સરકાર સામાન્ય જનતાને 300 યુનિટ વીજળી આપવાનો ઈન્કાર કરી રહી છે.

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, AAPના શાસનમાં દિલ્હી અને પંજાબના લોકોને હવે શૂન્ય વીજળી બિલ મળી રહ્યું છે. ગુજરાતમાં પણ થઈ શકે છે. પરંતુ આ લોકો (ભાજપ) કહે છે કે હું `રેવડી` વહેંચી રહ્યો છું. વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ 1 માર્ચથી તમને ઝીરો વીજળી બિલ પણ મળશે.
 
આ અવસર પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે તેમના રાજ્યના 74 લાખ પરિવારોએ તેમના ઘરોમાં વીજળીના મીટર લગાવેલા છે અને તેમાંથી 51 લાખને શૂન્ય વીજળી બિલ આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2022 08:27 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK