° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


અંબાજીમાં ભક્તોની આસ્થા સમાન મોહનથાળ પ્રસાદમાં યથાવત, સરકારને પ્રિય ચીકી પણ ચાલુ

14 March, 2023 05:59 PM IST | Ambaji
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શક્તિપીઠ અંબાજીમાં સરકારે પ્રસાદમાં મોહનથાળને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો

અંબાજી ધામ આસ્થા અડગ

અંબાજી ધામ

ગુજરાતમાં તાજેતરમાં મોહનથાળ પ્રસાદને લઈ મુદ્દો ચર્ચામાં છે. શક્તિપીઠ અંબાજીમાં સરકારે પ્રસાદમાં મોહનથાળને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમના આદેશથી અનેક વિસ્તારમાં લોકોએ આંદોલન કરી મોહનથાળને ફરી પ્રસાદ રૂપે ચાલુ રાખવાની માંગ કરી હતી. ત્યારે સરકારે હવે પોતાનો નિર્ણય બદલીને જગતજનની મા અંબાના ધામમાં મોહનથાળ અને ચીકી બંને પ્રસાદમાં ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. 

સરકારના આદેશથી 4થી માર્ચથી બંધ થયેલા મોહનથાળના પ્રસાદથી શ્રદ્ધાળુઓની આસ્થાને ભારે ઠેસ પહોંચી હતી. તેમણે આંદોલન કરી પ્રસાદમાં ફરી મોહનથાળને શરૂ કરવામાં માંગ કરી હતી. ત્યારે સરકારને તેમનો નિર્ણય બદલી માં જદગંબાના મંદિરમાં મોહનથાળને પ્રસાદમાં યથાવતા રાખવાનો આદેશ આપ્યો છે. 

આ પણ વાંચો: મોહનથાળ વિષય વચ્ચે વીએચપી જૈનોના ધામ મહુડીની સુખડીનો મુદ્દો ઘસેડ્યો, જાણો કોણે શું કહ્યું

છેલ્લા 11 દિવસથી અંબાજી ધામમાં ભક્તોને પ્રસાદમાં શુદ્ધ ઘીના મોહનથાળને બદલે ચીકી આપવામાં આવી રહી હતી. જોકો ભક્તોએ આ મુદ્દે આંદોલન શરૂ કર્યુ હતું. આ આંદોલને વિશ્વ હિંદુ પરિષદે પણ સમર્થન આપ્યું હતું અને સરકા સામે આવી ઉભુ રહી ગયું હતું. માટે જ સરકારે મોહનથાળને ફરી પ્રસાદ રૂપે લાવવા મુદ્દે ચર્ચા હાથ ધરી હતી.

મોહનથાળ પ્રસાદનો મુદ્દો દિવસેને દિવસે વધી રહ્યો હતો. આ મુદ્દે ગૃહમંત્રી અને વિશ્વ હિંદુ પરિષદ વચ્ચે એક કાર્યક્રમમાં મુલાકાત દરમિયાન નિવેદનબાજી પણ થઈ હતી. જોકે હવે સરકારે ભક્તોને પ્રિય મોહનથાળ અને તેમને પ્રિય અને વધુ વેચાતી ચીકી એમ બંનેને પ્રસાદરૂપે ચાલું રાખવાનો નિર્ણય કર્યો છે. 

14 March, 2023 05:59 PM IST | Ambaji | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

ચૈત્ર નવરાત્રિના આરંભે મંદિરોમાં માઈભક્તોનો સૈલાબ ઊમટ્યો

અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા, અમદાવાદ સહિતનાં સ્થળોએ આવેલાં માતાજીનાં મંદિરોમાં દર્શન કરવા ભાવિકો ઊમટ્યા, ઘટસ્થાપન સાથે શક્તિની ભક્તિની ઉપાસના શરૂ કરી માઈભક્તોએ

23 March, 2023 10:46 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

ઉનાળામાં કમોસમી વરસાદે ધામા નાખ્યા ગુજરાતમાં : ઉનાળો છે કે પછી ચોમાસું?

સાંજે છ વાગ્યા સુધીમાં રાજકોટમાં સવા ઇંચ, અંજારમાં એક ઇંચ, નખત્રાણા અને જૂનાગઢમાં અડધા ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો : સૌરાષ્ટ્રના કેટલાક માર્કેટ યાર્ડમાં ખેતપેદાશ પલળી ગઈ , ખેડૂતોની ચિંતા વધી ગઈ

23 March, 2023 10:35 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

પાવાગઢના મહાકાળી માના મંદિરમાં પહેલી વાર ભાવિકો કરશે પાદુકા પૂજન

આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ : અંબાજી, પાવાગઢ, બહુચરાજી સહિત માતાજીનાં મંદિરોમાં ભક્તિભાવ સાથે ઊજવાશે નવરાત્રિ મહોત્સવ

22 March, 2023 11:31 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK