આંબેડકર જયંતિ 2019: CM રૂપાણીએ બાબા સાહેબને અર્પણ કરી પુષ્પાંજલિ
રાજકોટમાં CMએ આપી બાબા સાહેબને અંજલિ
રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પ હાર અર્પણ કરી અંજલિ પાઠવી. CM રૂપાણીની સાથે રાજકોટ ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
રાજકોટ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. #Ambedkarjayanti #JaiBhim pic.twitter.com/vNJUbCPsvT
— Chowkidar Vijay Rupani (@vijayrupanibjp) April 14, 2019
બાબા સાહેબને દેશભરમાંથી અંજલિ
રાષ્ટ્રપતિનો શ્રદ્ધાંજલિ સંદેશ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બાબા સાહેબને નમન કરતા લખ્યું કે સંવિધાનના મુખ્ય વાસ્તુકાર ડૉ. આંબેડકરે આધુનિક ભારત માટે જીવનભર સંઘર્ષ કર્યો, મહિલાઓ અને નબળા વર્ગો માટે સમાન અધિકાર સુનિશ્ચિત કર્યા.
આ પણ વાંચોઃ આંબેડકર જયંતિ 2019: બંધારણના ઘડવૈયાને દેશભરમાંથી આપવામાં આવી અંજલિ
PM મોદીનો સંદેશ
વડાપ્રધાન મોદીએ બાબા સાહેબની જયંતિ પર એક વીડિયો પોસ્ટ કર્યો. અને લખ્યું કે, 'સંવિધાનના નિર્માતા અને સામાજિક ન્યાયના પ્રણેતા બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની જયંતિ પર સાદર નમન. જય ભીમ!'