"આ ક્ષણે આપણે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. અમારા વિચારો અને પ્રાર્થના એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ ઘાયલ થયા છે," ટાટા ગ્રુપ અને ઍર ઇન્ડિયાના ચૅરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું.
ટાટા ગ્રૂપ અને અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી જ ક્રેશ થયેલા ઍર ઇન્ડિયાના વિમાનના અવશેષો (તસવીર: એજન્સી)
ટાટા ગ્રુપે ગુરુવારે અમદાવાદમાં ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને રૂ. ૧ કરોડ આપવાની જાહેરાત કરી છે. ૨૪૨ લોકોને લઈને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી લંડનના ગેટવિક જઈ રહેલું વિમાન ગુરુવારે બપોરે ટેકઑફ થયા પછી તરત જ ક્રૅશ થયું હતું. આ ઘટનામાં કુલ મૃત્યુ પામનાર લોકોની સંખ્યા જાહેર કરવામાં આવી નથી.
View this post on Instagram
ADVERTISEMENT
"ઍર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ સાથે જોડાયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ- ટાટા
"આ ક્ષણે આપણે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. અમારા વિચારો અને પ્રાર્થના એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ ઘાયલ થયા છે," ટાટા ગ્રુપ અને ઍર ઇન્ડિયાના ચૅરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ટાટા ગ્રુપ 1 કરોડ રૂપિયા આપશે, એમ તેમણે ઉમેર્યું.
We are deeply anguished by the tragic event involving Air India Flight 171.
— Tata Group (@TataCompanies) June 12, 2025
No words can adequately express the grief we feel at this moment. Our thoughts and prayers are with the families who have lost their loved ones, and with those who have been injured.
Tata Group will…
ટાટા ગ્રુપ દ્વારા X ના રોજ પોસ્ટ કરાયેલા સંદેશમાં, તેમણે એમ પણ કહ્યું કે ટાટા ગ્રુપ ઘાયલોના તબીબી ખર્ચને આવરી લેશે અને ખાતરી કરશે કે તેમને બધી જરૂરી સંભાળ અને સહાય મળે. "વધુમાં, અમે બીજે મૅડિકલના કૉલેજના નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઊભા રહેવામાં અડગ રહીએ છીએ," તેમણે કહ્યું.
શ્રદ્ધાંજલી આપવા ઍર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કર્યું બ્લૅક
લંડન જતી તેની એક ફ્લાઇટના ક્રૅશ બાદ, ગુરુવારે ઍર ઇન્ડિયાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ડિસ્પ્લે પિક્ચરને કાળા રંગમાં બદલી નાખ્યું. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર, જેમાં 242 લોકો સવાર હતા, તે ટેકઑફના પાંચ મિનિટ પછી અમદાવાદ ઍરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં તૂટી પડ્યું. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ના એક સત્તાવાર નિવેદન અનુસાર, ગુરુવારે બપોરે અમદાવાદ ઍરપોર્ટ પરથી ટેકઑફ કર્યા પછી તરત જ ઍર ઇન્ડિયાનું વિમાન 242 મુસાફરોને લઈને ક્રૅશ થયું.
અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ટ્રોમા (ઈમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હૉસ્પિટલ તંત્રએ જાહેર કર્યા જે 6357373831 અને 6357373841 છે. "ઍર ઇન્ડિયાના સંભાળ રાખનારાઓની એક ખાસ ટીમ વધારાની સહાય પૂરી પાડવા માટે અમદાવાદ આવી રહી છે. તપાસમાં સમય લાગશે, પરંતુ અમે હાલમાં જે કંઈ કરી શકીએ છીએ તે કરી રહ્યા છીએ," ઍર ઇન્ડિયાના સીઇઓએ કીધું.

