Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં રથયાત્રાને લઈને ક્રાઇમ બ્રાન્ચે સંવેદનશીલ વિસ્તારોમાં કર્યું ડ્રોન સર્વેલન્સ

અમદાવાદમાં રથયાત્રાને લઈને ક્રાઇમ બ્રાન્ચે સંવેદનશીલ વિસ્તારોમાં કર્યું ડ્રોન સર્વેલન્સ

02 June, 2023 10:48 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

૪ જૂને રથયાત્રાની જળયાત્રા યોજાશે ત્યારે મંદિરના સત્તાવાળાઓએ રથયાત્રાની તૈયારી શરૂ કરી દીધી છે.

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રથયાત્રાના રૂટ પર સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડીને સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રથયાત્રાના રૂટ પર સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડીને સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.


ગુજરાતના અમદાવાદમાં દર વર્ષે યોજાતી વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા નજીક આવી પહોંચી છે ત્યારે રથયાત્રા સુખરૂપ રીતે પાર પડે એ માટે શહેરની પોલીસ સતર્ક બની છે અને ગઈ કાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન સર્વેલન્સ કર્યું હતું.

આ વર્ષે ૨૦ જૂને શહેરમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા વાજતેગાજતે નીકળશે. ૪ જૂને રથયાત્રાની જળયાત્રા યોજાશે ત્યારે મંદિરના સત્તાવાળાઓએ રથયાત્રાની તૈયારી શરૂ કરી દીધી છે. રથયાત્રાને લઈને આ વર્ષે ઓડિશાથી કલાત્મક છત્રી લવાઈ છે. બીજી તરફ રથયાત્રાનું પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ માટે અમદાવાદ પોલીસે પણ ચેકિંગ હાથ ધર્યું છે. ગઈ કાલે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પર આવતા શાહપુર રંગીલા ચોકી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડીને સર્વેલન્સ કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2023 10:48 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK