Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કર્યો એમાં કૉન્ગ્રેસ પરેશાન છે : મોદી

મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કર્યો એમાં કૉન્ગ્રેસ પરેશાન છે : મોદી

04 May, 2019 01:45 PM IST | કરૌલી
જી.એન.એસ.

મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કર્યો એમાં કૉન્ગ્રેસ પરેશાન છે : મોદી

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


વડા પ્રધાન મોદીએ કહ્યું કે ‘પાંચ વર્ષ પહેલાં સમગ્ર દેશે, રાજસ્થાને એક ભરોસા સાથે પોતાના આ સેવકને દેશ માટે કામ કરવાની તક આપી હતી. રાષ્ટ્રવાદથી ઓતપ્રોત આ માટીની એક-એક વ્યક્તિએ એમ વિચારીને કે દુનિયામાં ભારતની ધાક વધે એટલે તમામ બેઠકો ભાજપને આપી હતી.’ તેમણે કહ્યું કે ‘આજે સમગ્ર દુનિયામાં ભારતનો ડંકો વાગે છે. બે દિવસ અગાઉ જ ભારતના મોટા દુશ્મન મસૂદ અઝહરને દુનિયાની સૌથી મોટી સંસ્થાએ આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો અને એમાં કૉન્ગ્રેસને પરેશાની છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓનો આ આકા વર્ષોથી ભારતને ઘા પર ઘા આપી રહ્યો હતો.’

આ પણ વાંચો: ભારતને મળી મોટી સફળતા, આતંકી મસુદ અઝહર વૈશ્વિક આતંકી જાહેર



પાકિસ્તાને મસૂદ અઝહરની સંપત્તિ સીલ કરી, પ્રવાસ પર પણ પ્રતિબંધ


આંતકવાદી જાહેર કરાયા પછી પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરી લીધી છે. સાથે જ તેના વિદેશ આવવા-જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાની ઑફિસરોને નર્દિેશ આપવામાં આવ્યા કે, મસૂદ વિરુદ્ધ લગાવેલા પ્રતિબંધોને સંપૂર્ણ રીતે અમલમાં લાવવામાં આવશે. અઝહર પર હથિયારોનાં વેચાણ-ખરીદી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2019 01:45 PM IST | કરૌલી | જી.એન.એસ.

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK