સેનાને આપવામાં આવી છે પુરી છૂટઃ PM મોદી
વડાપ્રધાન મોદીએ કરી હુમલાની નિંદા(તસવીર સૌજન્યઃANI)
PM મોદીએ પુલવામાં હુમલા બાદ ઉંડો શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે અમે સેનાને પુરી સ્વતંત્રતા આપી છે. તેઓ કાર્યવાહી કરી શકે છે.
ADVERTISEMENT
PMએ સંબોધનમાં શું કહ્યું?
-અત્યારે દેશનો માહોલ આક્રોશિત છે. અમે સુરક્ષાદળોને પૂર્ણ સ્વતંત્રતા આપી દીધી છે.
-શહીદોના પરિવાર સાથે આખો દેશ ઉભો છે.
-આતંકવાદીઓ બહુ મોટી ભૂલ કરી ચુક્યા છે. હુમલામાં સામેલ તમામ લોકોને સજા મળશે.
-હુમલા બાદ મારી આલોચના કરનારાઓનો હું આદર કરવું છે. આલોચના કરવો તેમનો અધિકાર છે.
-મને પૂરો વિશ્વાસ છે કે દેશભક્તિના રંગમાં રંગાયેલા લોકો સાચી જાણકારી અમારી એજન્સીઓ પાસે પહોંચાડશે જેથી આતંકવાદને કચડી નાખવા માટે અમારી લડાઈ વધુ તેજ થઈ શકે.
-હું આતંકી સંગઠનના વડાઓને કહેવા માંગું છું કે તેઓ મોટી ભૂલ કરી ચુક્યા છે, તમારે આની મોટી કિંમત ચુકવવી પડશે.
-મારા સાથીઓને પણ અનુરોધ છે કે આ સમય ખૂબ જ સંવેદનશીલ અને ભાવુક છે. આ હુમલાનો દેશ એક થઈને મુકાબલો કરી રહ્યો છે. દેશોનો એક જ અવાજ છે અને આ અવાજ વિશ્વમાં સંભળાવો જોઈએ કારણ કે આ લડાઈ અમે જીતવા માટે લડી રહ્યા છે.
-પાડોશી દેશના ઈરાદા બર નહીં આવે. આવા દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. અનેક મોટા દેશોએ ખૂબ જ કડક શબ્દોમાં હુમાલની નિંદા કરી છે. તેમણે ભારત સાથે ઉભા રહેવાની ભાવના વ્યક્ત કરી છે. હું આખા દેશનો આભાર માનું છું.
-આતંકવાદ સામે તમામ માનવતાવાદી શક્તિઓએ એક થઈને લડવું જ પડશે. તમામ દેશ એક મત એક સ્વરથી ચાલશે ત્યારે આતંકવાદ અમુક પળથી વધારે નહીં ટકી શકે.
-પાકિસ્તાન તબાહીના રસ્તા પર ચાલી રહ્યું છે.
-આર્થિક બદહાલીથી પરેશાન પાકિસ્તાન ભૂલી જાય કે તેના મનસૂબા કામિયાબ થશે.