વડોદરા: ડભોઈની દર્શન હોટલમાં ખાળકુવાની સફાઈ કરવા ઉતરેલા 7 મજૂરના મોત
પ્રતીકાત્મક તસવીર
વડોદરાના ડભોઈના ફરતીફુઈ ગામ પાસે ખાળકુવામાં સફાઈ કરવા ઉતરેલા 7 મજૂરે જીવ ગુમાવ્યો છે. ડભોઈના ફરતીફુઈ ગામ પાસે આવેલા દર્શન હોટલ પાસેના ખાળકુવામાં 7 મજૂરો સાફ સફાઈ માટે ઉતર્યા હતાં. આ મજૂરોએ ઝેરી ગેસના કારણે જીવ ગુમાવવો પડ્યો છે તેવું પ્રાથમિક તપાસમાં બહારમાં આવ્યું છે. વડોદરા અને ડભોઈ ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમતબાદ આ મજૂરોના મૃતદેહને ખાળકુવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ડભોઈના ફરતીફુઈ ગામમાં આવેલ દર્શન હોટલ હસન અબ્બાસની છે અને મોડી રાત્રે હોટલ પાસે આવેલા ખાળકુવો સાફ કરવા માટે થુવાવીના પિતા-પુત્ર સહિત 4 મજૂર અને હોટલમાં કામ કરતા ત્રણ કર્મચારીઓ ઉતર્યા હતા. ખાળકુવામાં ઉતરતાની સાથે જ તેમને ઝેરી ગેસની અસર થઈ હતી જેના કારણે ગૂંગળામણના કારણે ખાળકુવામાં જ તેમના મોત થયા હતા અને ડૂબી ગયા હતા.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાની સાથે જ વડોદરા અને ડભોઈના ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોચ્યા હતા અને 6 કલાકની ભારે મહેનત બાદ 7 મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનામાં એક જ પરિવારના પિતા અને પુત્રએ જીવ ગુમાવ્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે ઝેરી ગેસના કારણે મજૂરોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હોય. હમણા જ થોડા સમયમાં 4 મજૂરોએ ઝેરી ગેસના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
આ પણ વાંચો: વાયુ વાવાઝોડાનો ખતરો હજુ ટળ્યો નથી, કચ્છને ટકરાઇ શકે છે વાવાઝોડુ
ઝેરી ગેસના કારણે મૃત્યુ પામેલા મજૂરો
-મહેશ મણીલાલ હરીજન
-હિતેષ અશોકભાઇ હરીજન
-અશોક બેચરભાઇ હરીજન
-મહેશ રમણલાલ પાટણવાડીયા
-વિજય અરવિંદભાઇ ચૌધરી (હોટલ સ્ટાફ)
-અજય વસાવા (હોટલ સ્ટાફ)
-શહદેવ રમણભાઇ વસાવા (હોટલ સ્ટાફ)