ટેસ્ટિંગ અને ટ્રેસિંગથી મુંબઈમાંથી કોરોનાને ભગાડીશું : ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શનિવારે મુંબઈના અધિકારીઓને જણાવ્યું હતું કે શહેરમાં કોરોના મહામારી તથા ચોમાસા સંબંધિત બીમારીઓ પર ધ્યાન આપવા માટે સહનિર્દેશન જરૂરી છે.
તેમણે બૃહનમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી, એમ સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.
તેમણે જણાવ્યું હતું કે આ સમયે ટ્રેસિંગ તથા કોરોનાના શંકાસ્પદ દરદીઓનું ટેસ્ટિંગ હાથ ધરવું અત્યંત જરૂરી છે. સાથે જ શહેરમાં મહામારીનો મૃત્યુદર પણ ઘટવો જોઈએ.
બીએમસી અધિકારીઓ મહામારીને અંકુશમાં લેવા માટે ભારે પ્રયત્ન કરી રહ્યા છે અને કેન્દ્રની ટીમે સુધ્ધાં તેમના પ્રયાસોની પ્રશંસા કરી હોવાનું તેમણે નોંધ્યું હતું.
જંગ હજી પૂરો થયો નથી, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે સંસ્થાકીય ક્વૉરન્ટીન સુવિધાઓ પણ વધવી જોઈએ.