Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > SSR કેસ: 48 - 72 કલાકમાં સીબીઆઈ અરેસ્ટનો દોર શરૂ કરે એવી શક્યતા

SSR કેસ: 48 - 72 કલાકમાં સીબીઆઈ અરેસ્ટનો દોર શરૂ કરે એવી શક્યતા

26 August, 2020 07:26 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

SSR કેસ: 48 - 72 કલાકમાં સીબીઆઈ અરેસ્ટનો દોર શરૂ કરે એવી શક્યતા

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસ

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસ


સીબીઆઇ સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પાછળ જવાબદાર લોકોની એક યાદી તૈયાર કરી રહી છે, જેની તારવણી પણ હવે શરૂ થઈ ગઈ છે. એવા સમયે આવતા ૪૮થી ૭૨ કલાકમાં સીબીઆઇ દ્વારા ધરપકડ પણ શરૂ થાય એવી સંભાવના છે. સીબીઆઇ અત્યાર સુધી જે તારણ પર પહોંચી છે એ મુજબ સુશાંતકેસમાં પાંચથી છ વ્યક્તિ શંકાના પરિઘમાં છે અને એ જ શકમંદમાંથી સીબીઆઇ દ્વારા અરેસ્ટ કરવામાં આવે એવી પૂરી શક્યતા છે.

કેસની તપાસ ઉપરાંત સીબીઆઇ દ્વારા આ આખા કેસમાં ક્યાં કઈ વાતનું કાચું કપાયું છે એની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. તપાસ દરમ્યાન કઈ-કઈ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આ કેસ ફટાફટ સૉલ્વ થઈ શક્યો હોત એ મુદ્દાઓનું પણ એક લિસ્ટ તૈયાર થશે, જેનો ઉપયોગ આગળ જતાં કેસ વખતે આરોપી બચાવનું કામ કરે ત્યારે કામ લાગી શકે છે.



અત્યાર સુધીમાં સીબીઆઇએ જેકોઈનાં સ્ટેટમેન્ટ અને ક્રૉસ ઇન્ટ્રોગેશન કર્યાં છે એના આધારે જ પુરવાર થાય છે કે કોઈ શંકાસ્પદ એવા હતા નહીં જે આ કેસને અવળા રસ્તે ચડાવી શકે અને એટલે જ સીબીઆઇનું કામ વધ્યું છે. જો કોઈ આરોપી માસ્ટરમાઇન્ડ નહોતા તો પછી પોલીસે આ કેસને સાવ અણઘડ રીતે કેમ હૅન્ડલ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2020 07:26 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK