ફાયરિંગ કરી દીકરાની હત્યા, ૭ દિન બાદ પિતાએ આપઘાત કરતાં ચકચાર
પ્રતીકાત્મક તસવીર
મહુવા તાલુકાના આંગલધરા ખાતે વજનકાંટાના માલિક અને ખેડૂત સંજયસિંહ દેસાઈની ૭ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાબતે યુવાનના પિતા અને બહેન-બનેવીઓ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. દરમિયાન સંજયસિંહના પિતાએ દીકરીના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
ગઈ ૯ જૂને સંજયસિંહ દેસાઈની પોતાના વજનકાંટાની ઑફિસમાં અજાણ્યા હત્યારાઓ દ્વારા ૭ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા થઈ હતી. અને બાબતે સંજયસિંહનાં પત્ની કૃપા દેસાઈએ મહુવા પોલીસમાં પતિનાં બહેન-બનેવી તથા પિતાના જમીન બાબતે અવારનવાર ઝઘડાઓ થતા હોવાથી હત્યા વિશે શંકા વ્યક્ત કરતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. પરંતુ ઘટનાને ૭ દિવસનો સમય વીતવા છતાં પોલીસ માત્ર નિવેદનો જ લઈ રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરતમાં ભાઈએ જ ભાઈની હત્યા કરતા ચકચાર
સંજયસિંહની હત્યા બાદ પિતા દિલીપસિંહ, બહેન-બનેવી પર શંકાને લઈને યુવાનની અંતિમયાત્રામાં પણ પિતાને સામેલ થવા દેવામાં આવ્યા નહોતા, જેથી પિતા દીકરીના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા અને ગ્રામજનો અને પોલીસ દ્વારા પિતાની પૂછપરછ પણ કરવામાં આવતી હતી. દરમિયાન દીકરીના ઘરે ધાબા પર બનાવવામાં આવેલા શેડ સાથે ગળા ફાંસો ખાઈ તેમણે આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.