રાફેલ ડીલઃરાહુલે કહ્યું PM મોદીની સીધી સંડોવણી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી
રાફેલ ડીલનો વિવાદ અટકી નથી રહ્યો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર રાફેલ ડીલને લઈ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે રાફેલ ડીલમાં પીએમ મોદની સીધી સંડોવણી છે.
રાફેલ ડીલ પર મોદીની સીધી સંડોવણી : રાહુલ ગાંધી
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર હુમલો કરતા કહ્યું કે,'હું એક વર્ષથી પીએમ મોદીની સંડોવણી હોવાનું કહી રહ્યો છું, આજે હિન્દુમાં આ વાત છપાઈ છે. પીએમ મોદીએ એરફોર્સના 30 હજાર કરોડ રૂપિયા અનિલ અંબાણીના ખિસ્સામાં નાખી દીધા. સંરક્ષણ મંત્રાલયમાંથી સ્પષ્ટતા થઈ છે કે મોદીજીએ કહ્યું હતું, HALને ના પાડીને અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ આપવાનો છે.'
મોદી ફ્રાંસ સાથે સીધી જ વાત કરતા હતા : રાહુલ ગાંધી
વાયુ સેના, સંરક્ષણ મંત્રાલયના લોકો કહે છે કે પીએમ મોદી સીધા જ ફ્રાન્સ સાથે વાત કરી રહ્યા હતા. ઓલાન્દેએ પણ કહ્યું હતું કે પીએમ મોદીએ અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ આપવાની વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ'એ ખુલાસો કર્યો છે કે ફ્રાન્સ સરકાર સાથે રાફેલ ડીલ મામલે સંરક્ષણ મંત્રાલય દ્વારા જે ડીલ કરાઈ રહી હતી, તેમાં PMOની દખલ બાદ જ ફ્રાન્સને ફાયદો થયો છે. PMOની આ દખલનો સંરક્ષણ મંત્રાલયે પણ વિરોધ કર્યો હતો. આ જ રિપોર્ટને આધારે કોંગ્રેસ મોદી સરકાર પર નિશાન સાધી રહી છે.
મનોહર પર્રિકર સાથે મેં રફેલ ડીલ પર કોઇ ચર્ચા જ નથી કરી : રાહુલ
મનોહર પર્રિકર અંગેના સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે,'પર્રિકરજી સાથેની મુલાકાત દરમિયાન રાફેલ ડીલ પર કોઈ ચર્ચા નહોતી થઈ. બાદમાં મેં તેમને પત્ર પણ લખ્યો હતો, જેમાં સ્પષ્ટતા કરાઈ હતી કે તેમણે રાફેલને લઈને કોઈ વાત નથી કરી' ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ગત મહિને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર સાથે મુલાકાત કર્યા બાદ એવી વાતોને વેગ મળ્યું હતું કે રાહુલે રાફેલ ડીલ મુદ્દે મનોહર પર્રિકર સાથે ચર્ચા કરી છે. જેને લઇને મનોહર પર્રિકરે આ અંગે પાછળી સ્પષ્ટતા આપવી પડી હતી.
આ પણ વાંચોઃફ્રાન્સના વિદેશપ્રધાન સાથે ન થઈ રાફેલ પર વાત: સુષ્મા સ્વરાજ