Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > PM મોદીએ કહ્યું આપણું સૌહાર્દ, એકતા, શાંતિ અને દેશના વિકાસનું છે મહત્વ

PM મોદીએ કહ્યું આપણું સૌહાર્દ, એકતા, શાંતિ અને દેશના વિકાસનું છે મહત્વ

09 November, 2019 07:34 PM IST | Mumbai Desk

PM મોદીએ કહ્યું આપણું સૌહાર્દ, એકતા, શાંતિ અને દેશના વિકાસનું છે મહત્વ

PM મોદીએ કહ્યું આપણું સૌહાર્દ, એકતા, શાંતિ અને દેશના વિકાસનું છે મહત્વ


અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ શનિવારે સાંજે પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યું.

-પીએમ મોદીએ કહ્યું, આપણે બધાંને સાથે લઈને, બધાંનો વિકાસ કરતાં, બધાંનો વિશ્વાસ જીતતાં, આગળ વધતાં જ જવું છે.



-પીએમ મોદીએ કહ્યું, હને સમાનને નાતે, દરેક ભારતીયએ પોતાના કર્તવ્ય, પોતાના દાયિત્વને પ્રાથમિકતા આપતાં કામ કરવું છે. આપણી વચ્ચે સૌહાર્દ, આપણી એકતા, આપણી શાંતિ, દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.


-પીએમ મોદીએ કહ્યું, સર્વોચ્ચ ન્યાયાલયનો આ નિર્ણય આપણી માટે એક નવી સવાર લઈને આવ્યો છે. આ વિવાદની અસર ભલે ઘણી પેઢીઓ પર થઈ હોય, પણ આ નિર્ણય પછી આપણે સંકલ્પ લેવો પડશે કે હવે નવી પેઢી, નવેસરથી ન્યૂ ઇન્ડિયાના નિર્માણમાં જોડાશે.

-પીએમ મોદીએ કહ્યું, નવા ભારતમાં ડર, કડવાશ, નકારાત્મકતા માટે કોઈ જ જગ્યા નથી.


-પીએમ મોદીએ કહ્યું, 6 નવેમ્બરના બર્લિનની દિવાલ પડી હતી, આજે કરતારપર કૉરિડૉરની શરૂઆત પણ થઈ છે. અયોધ્યા પર નિર્ણય સાથે જ 9 નવેમ્બરની આ તારીખ આપણને સાથે રહીને આગળ વધવાની શીખ પણ આપે છે.

-પીએમ મોદીએ કહ્યું, આજે અયોધ્યા પર નિર્ણય સાથે જ, 9 નવેમ્બરની આ તારીખ આપણે સાથે રહીને આગળ વધવાની શીખ પણ આપે છે. આજના દિવસનો સંદેશ જોડવાનો છે- જોડાવાનો છે અને મળીને જીવવાનો છે.

-પીએમ મોદીએ કહ્યું, દેશના ન્યાયાધીશ, ન્યાયાલય અને આપણી ન્યાયિક પ્રણાલી અભિનંદનને લાયક છે. સુપ્રીમ કોર્ટે બધાંને સાંભળ્યા, ખૂબ જ ધીરજથી સાંભળ્યા અને આકા દેશ માટે ખુશીની વાચ છે કે મામલો બધાંની સહેમતિથી ઉકેલાયો. સુપ્રીમ કોર્ટે દ્રઢ ઇચ્છાશક્તિ દર્શાવી.

-પીએમ મોદીએ કહ્યું, દર્શકો સુધી ચાલતી ન્યાય પ્રક્રિયાની આજે પૂર્ણાહૂતિ થઈ છે. આખી દુનિયાને આજે ખબર પડી કે ભારતનું લોકતંત્ર કેટલું જીવંત અને મજબૂત છે.

આ પણ વાંચો : PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર

-પીએમ મોદીએ કહ્યું, આજે સુપ્રીમ કોર્ટે એક એવા મહત્વપૂર્ણ મામલે નિર્ણય સંભળાવ્યો છે, જેના પછી સેંકડો વર્ષોનો ઇતિહાસ છે. આખા દેશની આ ઇચ્છા હતી કે આ મામલાની ન્યાયાલયમાં રોજ સુનવણી થાય, જે થઈ, અને આજે નિર્ણય આવી ચૂક્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

09 November, 2019 07:34 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK