Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > UPના ઉન્નાવમાં ચારો લેવા ગયેલી દલિત બહેનોનાં મૃત્યુ પાછળ ઝેર જવાબદાર

UPના ઉન્નાવમાં ચારો લેવા ગયેલી દલિત બહેનોનાં મૃત્યુ પાછળ ઝેર જવાબદાર

19 February, 2021 09:56 AM IST | Unnao
Agency

UPના ઉન્નાવમાં ચારો લેવા ગયેલી દલિત બહેનોનાં મૃત્યુ પાછળ ઝેર જવાબદાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ જિલ્લાના બબુરાહા ટોલા ગામમાં બુધવારે ખેતરમાં શંકાસ્પદ હાલતમાં બેભાન મળેલી ત્રણ બહેનોમાંથી બેનાં મૃત્યુ થઈ ગયાં હતાં. ત્રીજીની હાલત ગંભીર છે. તેમનાં મૃત્યુ ઝેરથી થયાં હોવાની વાતને પ્રથમદર્શી પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં સમર્થન આપવામાં આવ્યું હતું. અધિકારીક સૂત્રોએ જણાવ્યાનુસાર મોતનું કારણ બનનારા ઝેરના પ્રકાર વિશે વધુ માહિતી મેળવવા તપાસ કરવામાં આવશે. દરમ્યાન કાનપુરની રીજન્સી હૉસ્પિટલમાં સારવાર મેળવી રહેલી ત્રીજી યુવતીની સ્થિતિ હજી પણ ગંભીર જણાવાઈ રહી છે.

ઉન્નાવના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમારે કહ્યું હતું કે યુવતીની સારવારનો પૂરો ખર્ચ ઉત્તર પ્રદેશ ઉપાડશે.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2021 09:56 AM IST | Unnao | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK