UPના ઉન્નાવમાં ચારો લેવા ગયેલી દલિત બહેનોનાં મૃત્યુ પાછળ ઝેર જવાબદાર
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ જિલ્લાના બબુરાહા ટોલા ગામમાં બુધવારે ખેતરમાં શંકાસ્પદ હાલતમાં બેભાન મળેલી ત્રણ બહેનોમાંથી બેનાં મૃત્યુ થઈ ગયાં હતાં. ત્રીજીની હાલત ગંભીર છે. તેમનાં મૃત્યુ ઝેરથી થયાં હોવાની વાતને પ્રથમદર્શી પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં સમર્થન આપવામાં આવ્યું હતું. અધિકારીક સૂત્રોએ જણાવ્યાનુસાર મોતનું કારણ બનનારા ઝેરના પ્રકાર વિશે વધુ માહિતી મેળવવા તપાસ કરવામાં આવશે. દરમ્યાન કાનપુરની રીજન્સી હૉસ્પિટલમાં સારવાર મેળવી રહેલી ત્રીજી યુવતીની સ્થિતિ હજી પણ ગંભીર જણાવાઈ રહી છે.
ઉન્નાવના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમારે કહ્યું હતું કે યુવતીની સારવારનો પૂરો ખર્ચ ઉત્તર પ્રદેશ ઉપાડશે.