મુંબઈના વાશી રેલવે સ્ટેશન પર અચાનક આગ લાગતાં આખું સ્ટેશન ખાલી કરાવાયું
વાશી સ્ટેશન પર લાગી આગ
વાશી રેલવે સ્ટેશન પર ગઈ કાલે સવારે એક લોકલ ટ્રેનમાં આગ લાગી હતી. આ ટ્રેન સીએસએમટીથી પનવેલ જઈ રહી હતી. આગ લાગ્યા બાદ તરત જ સ્ટેશન પર સૌથી પહેલાં વીજળી-સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. હાલમાં આગ પર કાબૂ મેળવી લીધો છે. જીવંત તાર પર બૅગ ફેંકવામાં આવતાં આ આગ લાગી હતી.
સેન્ટ્રલ રેલવે પાસેથી મળતી માહિતી પ્રમાણે ડાઉન લોકલમાં વાશી સ્ટેશન પર આગ લાગતાં હાર્બર લાઇન ટ્રેનને અસર થઈ છે. આગ લાગ્યાની માહિતી મળતાં જ અહીં સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી. જોકે સેન્ટ્રલ રેલવેનું કહેવું છે કે નજીવી આગ લાગી હતી અને ટૂંક સમયમાં જ કર્મચારીઓ દ્વારા એને ઓલાવી દેવામાં આવી હતી. કોઈ ઘાયલ થયા હોય એવી માહિતી નથી. શરૂઆતમાં આવેલી માહિતી પ્રમાણે આગ ભયંકર લાગ્યાની ચર્ચા હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : જિલ્લા અધિકારીએ પ્લાસ્ટિક કપમાં ચા પીધીઃ પોતાને જ 5000નો દંડ ફટકાર્યો
રેલવે અધિકારીઓએ કહ્યું કે આગની માહિતી મળતાં જ મુંબઈ અને પનવેલની વચ્ચે લોકલ ટ્રેનની સર્વિસિસ રોકી દીધી હતી. અધિકારીઓએ કહ્યું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ બધી સર્વિસિસ સામાન્ય રીતે કાર્યરત થઈ રહી છે.