Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ ઠાકરેની મધ્યસ્થી છતાં બેસ્ટના કર્મચારીઓ બેમુદત ભૂખહડતાળ પર ઊતર્યા

ઉદ્ધવ ઠાકરેની મધ્યસ્થી છતાં બેસ્ટના કર્મચારીઓ બેમુદત ભૂખહડતાળ પર ઊતર્યા

28 August, 2019 10:21 AM IST | મુંબઈ

ઉદ્ધવ ઠાકરેની મધ્યસ્થી છતાં બેસ્ટના કર્મચારીઓ બેમુદત ભૂખહડતાળ પર ઊતર્યા

બેસ્ટના કર્મચારીઓ બેમુદત ભૂખહડતાળ પર ઊતર્યા

બેસ્ટના કર્મચારીઓ બેમુદત ભૂખહડતાળ પર ઊતર્યા


બેસ્ટ (બીઈએસટી)ના કામદારોના વેતનના મુદ્દે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કરેલી મધ્યસ્થી ફેલ ગયા બાદ બેસ્ટના કર્મચારીઓએ ગઈ કાલથી વડાલા બસ ડેપોમાં બેમુદત ભૂખહડતાળ શરૂ કરી છે. આ બાબતની માહિતી બેસ્ટ સંયુક્ત કર્મચારી કૃતિ સમિતિએ આપી હતી. જ્યારે સાતમા વેતન પંચના પ્રશ્ન પર કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી બે દિવસમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે એમ પણ બેસ્ટ કર્મચારી સંઘે જણાવ્યું હતું. 

મહારાષ્ટ્ર શાસન અને મુંબઈ મહાનગરપાલિકાની જેમ બેસ્ટના કર્મચારીઓને સાતમું પગાર પંચ લાગુ કરવું, બેસ્ટના બજેટને મહાનગરપાલિકાના બજેટમાં સમાવવું તેમ જ મહાનગરપાલિકાએ બેસ્ટને આપવામાં આવતા અનુદાનની રકમમાં તફાવત ન હોવો જોઈએ જેવી ત્રણ મુખ્ય માગણીઓ સાથે બેસ્ટ કર્મચારી સંગઠને ગઈ કાલે ભૂખહડતાળ શરૂ છે. બેસ્ટ વર્કર યુનિયનના લીડર શશાંક રાવે બેસ્ટ સમિતિના અધ્યક્ષ સાથે તથા મૅનેજમેન્ટ સાથે ચર્ચા કરી કોઈ નિરાકરણ ન આવતાં બેમુદત ભૂખહડતાળ શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.



આ પણ વાંચો : MSEB ગોટાળામાં અજિત પવાર સહિત 31 બૅન્ક ડિરેક્ટર વિરુદ્ધ ગુનો નોંધાયો


શશાંક રાવે મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેશી, મેયર વિશ્વનાથ મહાડેશ્વર, શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મળીને ચર્ચા કરી હતી એથી આગામી બે દિવસમાં સાતમા પગાર પંચને લાગુ કરવા બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2019 10:21 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK