હાશ, રિક્ષાની હડતાળ પાછી ખેંચાઈ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈગરાઓ પર તોળાઇ રહેલું રિક્ષાની હડતાળનું સંકટ હાલ પુરતું ટળ્યું છે. રિક્ષાચાલકોની માગણી સંબંધે સકારાત્મક અભિગમ અપનાવી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે તેમના યુનિયનને મીટિંગ માટે બોલાવતાં ન્યાય મળવાની આશાએ રિક્ષાચાલકોના સંઘઠને બંધનું એલાન પાછું ખેંચ્યું છે.
થાણે સિવાયના રાજ્યના સમગ્ર રિક્ષાચાલકોએ આઠમી જુલાઇની મધરાતથી અનિશ્ચિત કાળની હડતાળ પર જવાનો નિર્ણય લીધો હતો. ઓટોરિક્ષા યુનિયનના આગેવાનો તથા રાજ્ય પરિવહન સચિવ વચ્ચેની વાટાઘાટનો નિવેડો ન આવતાં હડતાળ પાડવાની જાહેરાત કરાઈ હતી. જોકે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દરમિયાનગીરી કરતા આ હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત રિક્ષાચાલક યુનિયન દ્વારા કરવામાં આવી હતી.