મહારાષ્ટ્ર કોર્ટે બદનક્ષીની અરજી રદ કરવાની રાહુલ ગાંધીની અરજી ફગાવી
મહારાષ્ટ્રની કોર્ટે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની તેમના વિરુદ્ધ કરાયેલી બદનક્ષીની અરજીને રદ કરવાની અરજી ફગાવી દીધી છે. આ ઉપરાંત સીપીઆઇ(એમ)ના મહાસચિવ સિતારામ યેચુરીની પણ આ જ પ્રકારની અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
આરએસએસના કાર્યકરે મહારાષ્ટ્ર કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરતી અરજી કરી હતી. કોર્ટે બન્ને નેતાઓની અરજી ફગાવતા આ કેસમાં તેમને ટ્રાયલનો સામનો કરવો પડશે.
ADVERTISEMENT
આરએસએસના કાર્યકર અને વકીલ ધ્રુતિમાન જોશીએ કરેલી ફરિયાદમાં પત્રકાર ગૌરી લંકેશની હત્યાને કથિત રીતે સંઘ સાથે જોડવા બદલ રાહુલ ગાંધી અને સિતારામ યેચુરી વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કરવા માટેની અરજી કોર્ટમાં કરી હતી. ગૌરી લંકેશની ૨૦૧૭માં બૅન્ગલોરમાં તેમના ઘર બહાર જ કેટલાક લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી.
આ પણ વાંચો : PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ