જયંતી ભાનુશાળી હત્યા કેસઃરેલવેએ કરી SITની રચના
તસવીર સૌજન્યઃ દીર્ઘા મીડિયા ન્યૂઝ એજન્સી
જયંતી ભાનુશાળીની હત્યાને પગલે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી છે. તો મોત પર રાજકારણ પણ શરૂ થઈ ચૂક્યુ છે. બીજી તરફ રેલવેએ આખી ઘટનાની તપાસ માટે સીટની રચના કરી છે. જયંતી ભાનુશાળી હત્યા કેસની તપાસ અમદાવાદ રેલવે DySP પી. પી. પિરોજિયાને સોંપાઈ છે. સાથે જ તેમાં રાજકોટ ડીવાયએસપી, રેલવે LCBના એક PI,2 PSI અને કોન્સ્ટેબલ પણ આ કેસની તપાસ કરશે.
આ પણ વાંચોઃ જયંતી ભાનુશાળી હત્યા કેસઃશંભુ ભાનુશાળીનો છબીલ પટેલ સામેલ હોવાનો આરોપ
ADVERTISEMENT
હાલ આ મામલે મોરબી જિલ્લા પોલીસ, રેલવે LCB, જિલ્લા LCB, ગાંધીધામ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે જયંતી ભાનુશાળીની ટ્રેનમાં ગોળી ધરબીને હત્યા કરી દેવાઈ હતી. જે બાદ તેમના પરિવારે આ ઘટનામાં ભાજપના જ નેતા છબીલ પટેલ સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.