પાક. સંસદમાં સર્જિકલ સ્ટ્રાઇક 2ની ગૂંજ, ગૃહમાં PM મુર્દાબાદના નારા
ફાઇલ ફોટો
ભારતીય વાયુસેના દ્વારા જૈશ-એ-મોહમ્મદની આતંકી છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાનમાં રાજકારણ ગરમાયું છે. પાકિસ્તાની સંસદની અંદર વિપક્ષે વડાપ્રધાન ઇમરાન ખાનના નામ પર મુર્દાબાદના નારા લગાવ્યા. વિપક્ષની માંગ છે કે ઇમરાન ખાને ગૃહમાં આવીને જવાબ આપવો જોઇએ. ગૃહમાં સરકારનો જવાબ છે કે ભારતીય વાયુસેનાના આ હુમલાથી પાકિસ્તાનમાં કોઇપણ પ્રકારના જાનમાલનું નુકસાન થયું નથી.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી ગૃહમાં એવી માંગ ઉઠી છે કે આ એર સ્ટ્રાઇકને લઈને ભારત પર આંતરરાષ્ટ્રીય દબાણ બનાવવામાં આવે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય એજન્સી અને ઇસ્લામિક દેશોને પોતાના પક્ષમાં કરવાની રણનીતિ બનાવી શકે છે. આ ઉપરાંત પાકિસ્તાન સરકારે કહ્યું છે કે તેઓ આત્મરક્ષા માટે પોતાની સામરિક રણનીતિ બનાવી રહ્યા છે. બીજી બાજુ મામલાની ગંભીરતાને જોતા પાકિસ્તાન ગૃહની સંયુક્ત બેઠક બુધવારે બોલાવવામાં આવી છે.
ADVERTISEMENT
બીજી બાજુ મંગળવારે પાકિસ્તાનની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફે સવારે ટ્વિટ કરીને ભારત પર સરહદના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો અને લખ્યું છે કે ભારતીય વાયુસેનાએ મુઝફ્ફરાબાદ સેક્ટરમાંથી ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી. તેમણે આગળ લખ્યું છે કે પાકિસ્તાની સેના દ્વારા યોગ્ય સમયે પ્રભાવી જવાબ આપવામાં આવ્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાનની ત્વરિત કાર્યવાહી પછી ભારતીય વિમાન બાલાકોટમાં પેલોડ નાખીને ભાગી ગયા.
આ પણ વાંચો: Surgical Strike2 Updates:ઈમરાન ખાને કહ્યું દરેક સ્થિતિ માટે રહો તૈયાર
પાકિસ્તાન સેનાના આ નિવેદનમાં બાલાકોટનો ઉલ્લેખ થયા પછી પાકિસ્તાનની સંસદમાં બબાલ મચી ગઈ. હકીકતમાં પાકિસ્તાનમાં બાલાકોટ નામથી બે જગ્યાઓ છે. એક જગ્યા એલઓસીની નજીક છે અને બીજી લગભગ 80 કિલોમીટર દૂર છે. એલઓસીની નજીક બાલાકોટ ગુલામ કાશ્મીરમાં આવે છે અને ટેક્નીકલ રીતે તે પાકિસ્તાનનો હિસ્સો નથી. બીજું બાલાકોટ પાકિસ્તાનની ધરતી પર છે. આ ભ્રમ પછી પાકિસ્તાની પત્રકારોએ સેનાને સવાલ પૂછવાના શરૂ કરી દીધા કે કયા બાલાકોટ પર ભારતે હુમલો કર્યો છે. આ સવાલ પાકિસ્તાની સંસદમાં પણ ગૂંજ્યો.