Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતે મસૂદ અઝહર, દાઉદ ઈબ્રાહિમ અને હાફિઝ સઈદને આતંકી જાહેર કર્યા

ભારતે મસૂદ અઝહર, દાઉદ ઈબ્રાહિમ અને હાફિઝ સઈદને આતંકી જાહેર કર્યા

05 September, 2019 08:27 AM IST |

ભારતે મસૂદ અઝહર, દાઉદ ઈબ્રાહિમ અને હાફિઝ સઈદને આતંકી જાહેર કર્યા

ભારતે મસૂદ અઝહર, દાઉદ ઈબ્રાહિમ અને હાફિઝ સઈદને આતંકી જાહેર કર્યા


મોદી સરકારે ગેરકાયદેસરની ગતિવિધિ સંશોધન કાયદા (યુએપીએ) અંતર્ગત મૌલાના મસૂદ અઝહર, દાઉદ ઇબ્રાહિમ, ઝાકી-ઉર-રહમાન લખવી અને હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કર્યા છે. આ તમામ સામે રેડ કૉર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. જૈશ-એ-મોહમ્મદના હેડ મસૂદ અઝહર પર ભારતમાં ૫ આતંકવાદી હુમલાને અંજામ આપવાનો આરોપ છે.

આ જ વર્ષે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. યુએપીએમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા હતા. જુલાઈમાં સંસદમાં આ બિલને પાસ કરવામાં આવ્યું હતું. નવી જોગવાઈઓ પ્રમાણે વ્યક્તિગત રીતે પણ કોઈને આતંકવાદી જાહેર કરવામાં આવી શકે છે.



આ પણ વાંચો: ભારત અને રશિયા વચ્ચે જમીન, સ્પેસ, ઍનર્જી સહિત ૧૫ કરાર પર હસ્તાક્ષર


આ પહેલાં ફક્ત આતંકવાદી સંગઠનોને જ આતંકવાદી જાહેર કરવામાં આવતા હતા. હવે અેમનું નામ આ યાદીમાં આવ્યા બાદ આતંકવાદી પણ વ્યક્તિગત રીતે યાદીમાં સામેલ થશે. આવનારા દિવસોમાં ઘણા અન્ય કુખ્યાત નામો આ યાદીમાં જોડાશે.


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2019 08:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK