ભોજક સમાજ સામે ટિપ્પણીઃ કીર્તિદાન ગઢવી સામે ફરિયાદ
કીર્તિદાન ગઢવી
લોકપ્રિય લોકગાયક કીર્તિદાન ગઢવી વિરુદ્ધ પાટણ પોલીસમાં લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનો મામલો બહાર આવ્યો છે. ભવાઈ સાથે જોડાયેલા નાયક ભોજક સમાજની લાગણી દુભાય એવો વાણીવિલાસ ડાયરામાં કરતા હોવાનો તેમના પર આરોપ લાગ્યો છે. સમાજ વતી ચેતન નાયક નામના યુવકે પાટણ બી ડિવિઝનમાં લેખિત અરજી આપી છે.
મળતી માહિતી મુજબ કીર્તિદાન ગઢવીએ ડાયરામાં નાયક ભોજક સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતાં સમાજનો રોષ ભભૂકી ઊઠ્યો હતો. પાટણના નાયક સમાજના આગેવાન દ્વારા આ અંગે પોલીસમાં ફરિયાદ પેટે અરજી દાખલ કરવામાં આવી. તથા આ અંગે યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરવા કહેવામાં આવ્યું.
ADVERTISEMENT
આ પણ વાંચો : રૂપાણીની રાજકોટને મોટી ભેટઃ 230 કરોડના ખર્ચે પાંચ ફ્લાયઓવર બનશે
ડાયરામાં ભોજક સમાજની લાગણી દુભાય એવી ટિપ્પણી કરી હોવાનું અરજીમાં જણાવાયું છે. આ સમગ્ર મામલે કીર્તિદાન ગઢવી જાહેરમાં સમાજની માફી માગે એવી તેમને અપીલ કરવામાં આવી છે. જો તેઓ માફી નહીં માગે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.