Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ભોજક સમાજ સામે ટિપ્પણીઃ કીર્તિદાન ગઢવી સામે ફરિયાદ

ભોજક સમાજ સામે ટિપ્પણીઃ કીર્તિદાન ગઢવી સામે ફરિયાદ

04 January, 2020 10:06 AM IST | Patan

ભોજક સમાજ સામે ટિપ્પણીઃ કીર્તિદાન ગઢવી સામે ફરિયાદ

કીર્તિદાન ગઢવી

કીર્તિદાન ગઢવી


લોકપ્રિય લોકગાયક કીર્તિદાન ગઢવી વિરુદ્ધ પાટણ પોલીસમાં લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનો મામલો બહાર આવ્યો છે. ભવાઈ સાથે જોડાયેલા નાયક ભોજક સમાજની લાગણી દુભાય એવો વાણીવિલાસ ડાયરામાં કરતા હોવાનો તેમના પર આરોપ લાગ્યો છે. સમાજ વતી ચેતન નાયક નામના યુવકે પાટણ બી ડિવિઝનમાં લેખિત અરજી આપી છે.

મળતી માહિતી મુજબ કીર્તિદાન ગઢવીએ ડાયરામાં નાયક ભોજક સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતાં સમાજનો રોષ ભભૂકી ઊઠ્યો હતો. પાટણના નાયક સમાજના આગેવાન દ્વારા આ અંગે પોલીસમાં ફરિયાદ પેટે અરજી દાખલ કરવામાં આવી. તથા આ અંગે યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરવા કહેવામાં આવ્યું.



આ પણ વાંચો : રૂપાણીની રાજકોટને મોટી ભેટઃ 230 કરોડના ખર્ચે પાંચ ફ્લાયઓવર બનશે


ડાયરામાં ભોજક સમાજની લાગણી દુભાય એવી ટિપ્પણી કરી હોવાનું અરજીમાં જણાવાયું છે. આ સમગ્ર મામલે કીર્તિદાન ગઢવી જાહેરમાં સમાજની માફી માગે એવી તેમને અપીલ કરવામાં આવી છે. જો તેઓ માફી નહીં માગે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2020 10:06 AM IST | Patan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK