Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન બાબતે રાજ્યપાલે ઉતાવળ કરીઃ ગેહલોત

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન બાબતે રાજ્યપાલે ઉતાવળ કરીઃ ગેહલોત

14 November, 2019 11:26 AM IST | Jaipur

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન બાબતે રાજ્યપાલે ઉતાવળ કરીઃ ગેહલોત

અશોક ગેહલોત

અશોક ગેહલોત


મહારાષ્ટ્રમાં સરકાર રચવા પર થયેલા વિલંબને કારણે આખરે રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિશાસન લગાડવામાં આવ્યું છે. જેના વિશે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે એક મોટું નિવેદન આપ્યું કે, આ બાબતે મહારાષ્ટ્રના રાજ્યપાલે ઉતાવળ કરી છે.
અશોક ગેહલોતે આકરા શબ્દોમાં કહ્યું કે, રાષ્ટ્રપતિશાસનનો નિર્ણય રાજ્યપાલે ઉતાવળમાં લીધો છે. તેમણે બીજા રાજકીય દળોને વિચારવા અને સમજવા માટે કંઈ સમય આપ્યો નથી. આના પરથી ખબર પડે છે કે દેશમાં આ સમયે કેવી રીતે શાસન ચાલી રહ્યું છે?

આ સાથે જ ગેહલોતે બીજેપી સરકારની ટીકા કરતાં કહ્યું કે, બીજેપી સરકાર સામ-દામ-દંડ-ભેદના માધ્યમથી ઑપરેશન લોટસની વાત કરી રહ્યા છે, જોકે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં જનતાએ બીજેપી તરફથી મોઢું ફેરવી લીધું છે.



અમને સત્તાનો લોભ નથી. હરિયાણા અને મહારાષ્ટ્રમાં બીજેપી સરકારને લાગેલા ફટકા પછી પણ તેમના વિચારો બદલાયા નથી. જો આવું જ ચાલતું રહ્યું તો લોકો બીજેપીને પાઠ ભણાવશે.


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2019 11:26 AM IST | Jaipur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK