Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં રેસ્ટોરાં હવે રાતે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે

ગુજરાતમાં રેસ્ટોરાં હવે રાતે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે

31 July, 2020 01:42 PM IST | Gandhinagar
Agencies

ગુજરાતમાં રેસ્ટોરાં હવે રાતે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલૉક-3 સંદર્ભે ભારત સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહતત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્ય પ્રધાતે રાજ્યમાં ૧ ઑગસ્ટથી રાત્રિ-કરફ્યુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં દુકાનો ૮ વાગ્યા સુધી તેમ જ હોટેલ-રેસ્ટોરાં રાતે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસઓપી મુજબ રાજ્યમાં જિમ અને યોગ સેન્ટર પાંચમી ઑગસ્ટથી ખોલી શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઇડલાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું છે.

અહીં જણાવવાનું કે ગઈ કાલે એટલે કે બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક-3ની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે મુજબ અનેક છૂટછાટ વધારાઈ છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં પાંચમી ઑગસ્ટથી જિમ ખોલવાની પરવાનગી આપી છે અને સાથે જ સરકારે નાઇટ-કરફ્યુને હટાવી દીધો છે. મેટ્રો, રેલ અને સિનેમાઘર પર પાબંધી યથાવત્ રહેશે. સરકારે કહ્યું કે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમો સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે યોજાશે. આ ઉપરાંત અન્ય સ્વાસ્થ્ય પ્રોટોકૉલનું પાલન કરવું પડશે, જેમ કે માસ્ક પહેરવું. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્કૂલ-કૉલેજ અને કોચિંગ સંસ્થા ૩૧ ઑગસ્ટ સુધી બંધ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2020 01:42 PM IST | Gandhinagar | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK