Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વર્ષા બંગલો ખાલી કર્યા બાદ મુંબઈમાં ઘર શોધે છે ફડણવીસ

વર્ષા બંગલો ખાલી કર્યા બાદ મુંબઈમાં ઘર શોધે છે ફડણવીસ

29 November, 2019 08:03 AM IST | Mumbai

વર્ષા બંગલો ખાલી કર્યા બાદ મુંબઈમાં ઘર શોધે છે ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


મંગળવારે બપોરે મુખ્ય પ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યા બાદ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે દક્ષિણ મુંબઈસ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલોને ખાલી કરવાની શરૂઆત કરી દીધી છે અને હવે તેઓ મુંબઈમાં જ પોતાનું નવું નિવાસસ્થાન શોધી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ નાગપુરસાઉથ વેસ્ટની સીટ પરથી ચૂંટાઈ આવેલા દેવેન્દ્ર ફડણવીસ ઑક્ટોબર ૨૦૧૪માં મુખ્ય પ્રધાન બન્યા બાદ મુંબઈ આવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસ ઍક્સિસ બૅન્કમાં ઊંચા પદ પર છે તથા તેમની પુત્રી પણ મુંબઈમાં ભણે છે. આથી હવે તેઓ મુંબઈમાં જ સ્થાયી થવા વિચારી રહ્યાં છે. મુખ્ય પ્રધાનપદ પરથી રાજીનામું આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ હવે નવી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બને એવી સંભાવના છે.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2019 08:03 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK