અટલજીની આજે પહેલી પુણ્યતિથિ, દિેગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
અટલજીને આપવામાં આવી અંજલિ
આજે અટલ બિહારી વાજપેયીજીના નિધનને એક વર્ષ થયું. આ મોકા પર દેશના મોટા મોટા લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. નવી દિલ્હીમાં અટલજીના સ્મૃતિ સ્થળ સદૈવ અટલ પર પહોંચીને વડાપ્રધાન મોદીએ પણ તેમને અંજલિ આપી. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ અટલજીને શ્રદ્ધાંજલિ આપી. ગયા વર્ષે 16 ઑગસ્ટે 2018ના દિવસે લાંબી બીમારી બાદ ભારતના પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનું નિધન થયું હતું.
Delhi: President Ram Nath Kovind & Prime Minister Narendra Modi pay tribute to former PM #AtalBihariVajpayee , on his first death anniversary at 'Sadaiv Atal' - the memorial of Atal Bihari Vajpayee. pic.twitter.com/2gSFy65idL
— ANI (@ANI) August 16, 2019
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના અન્ય નેતાઓએ આજે પહેલી પુણ્યતિથિ પર પૂર્વ પીએમ અટલ બિહારી વાજયેપીને શ્રદ્ધાંજલિ આપી.
Delhi: Union Home Minister Amit Shah, BJP national working president JP Nadda and other leaders of the party pay tribute to former PM #AtalBihariVajpayee at 'Sadaiv Atal' on his first death anniversary today. pic.twitter.com/h1Tyzx0y0C
— ANI (@ANI) August 16, 2019
દિલ્હી સ્થિત સદૈવ અટલ પર વાજપેયીજીની પુણ્યતિથિ પર મોટો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. અટલ બિહારી વાજપેયીના દીકરી નમિતા કૌલ ભટ્ટાચાર્ય, પૌત્રી નિહારિકા સહિતના સભ્યો ત્યાં પહોંચ્યા અને અટલજીને શ્રદ્ધાંજલિ આપી. પૂર્વ વડાપ્રધાનના સ્મૃતિ સ્થળ પર આજે ભજનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જ્યાં તેમને અંજલિ આપવામાં આવી રહી છે.
Delhi: Late #AtalBihariVajpayee's daughter Namita Kaul Bhattacharya and granddaughter Niharika pay tribute to former Prime Minister at 'Sadaiv Atal', on his first death anniversary today. pic.twitter.com/4GG1nIONtM
— ANI (@ANI) August 16, 2019
આ પણ જુઓઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....
અટલ બિહારી વાજપેયીનો કાર્યકાળ
અટલ બિહારી વાજપેયીજી પહેલીવાર 1996માં વડાપ્રધાન બન્યા, ત્યારે તેમની સરકાર માત્ર 13 દિવસ માટે જ ચાલી રહી. 1998માં તેઓ બીજી વાર વડાપ્રધાન બન્યા ત્યારે તેમની સરકાર 13 મહિના ચાલી હતી. 1999માં તેઓ પહેલીવાર વડાપ્રધાન બન્યા અને પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કર્યો.2004 બાદ નાદુરસ્ત તબિયતના કારણે તેમણે રાજકારણથી અંતર બનાવી લીધું હતું.