પાલઘરની ઘટના અંગે સોનિયા ગાંધી પર આરોપ, અર્ણબ ગોસ્વામી વિરુધ્ધ FIR
અર્ણબ ગોસ્વામી
છત્તીસગઢના રાયપુર જીલ્લાની પોલીસે કોંગ્રેસ નેતાઓની ફરિયાદને આધારે રીપબ્લિક ટીવીના એડિટર અર્ણબ ગોસ્વામી વિરુધ્ધ બે અલગ-અલગ કેસ નોંધાયા છે. રાયપુર જીલ્લાના પોલીસ અધિકારીએ આપેલી માહિતિ મુજબ, કોંગ્રેસ અધ્યક્ષ મોહન મરકામ અને રાજ્યના સ્વાસ્થય પ્રધાન ટીએસ સિંહદેવે અર્ણભ ગોસ્વામી પર પાલઘરમાં મૉબ લિન્ચિંગ ર્દુઘટનામાં પોતાના વ્યક્તવ્ય દ્વારા દેશની જનતાને ભડકાવ્યા છે અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર ટિપ્પણી કરવાનો આરોપ લગાડયો છે.
જ્યારે કોંગ્રેસ નેતા ગિરિશ દુબેએ ગોસ્વામી પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી તરફથી પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કોરોના વાયરસને લઈને આપવામં આવેલા સુચનોને ખોટી રીતે રજુ કરવાનો આરોપ લગાડયો છે.
ADVERTISEMENT
પાલઘરમાં થયેલી મૉબ લિન્ચિંગની ઘટના બાદ મંગળવારે અર્ણબે પોતાની સમાચાર ચેનલ પર 'પૂછતા હૈ ભારત' નામનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં અર્ણબે પોતાના વ્યક્તવ્ય દ્વારા દેશની જનતાને ઉશ્કેરવામાં આવી હતી. તેમજ જુદા જુદા સમુદાયો વચ્ચે નફરતનું વાતાવરણ ઊભું કર્યું હતું. તે સિવાય ડિબેટ દરમ્યાન સોનિયા ગાંધી પર ટિપ્પણી પણ કરી હતી, તેવું FIRમાં કહેવામાં આવ્યું છે.
એટલું જ નહીં ગુજરાતમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ફરિયાદ નોંધાવી છે કે, અર્ણબે પોતાની ચેનલ પર ડિબેટમાં સોનિયા ગાંધી વિરુધઆદ ટિપ્પણી કરી હતી.
મોડી રાત્રે મુંબઈમાં અર્ણબ ગોસ્વામી અને તેમના પત્ની પર હુમલો થયો છે. સ્ટુડિયો થી ઘરે જતા રસ્તામાં તેમની ગાડી પર અમુક કોંગ્રેસી કાર્યકર્તા બાઇક સવારોએ હુમલો કર્યોનો આરોપ મુક્યો છે. અર્ણબ પોતાના પર થયેલ હુમલા માટે જાહેરમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને વાદ્રા પરિવાર પર આરોપ લગાવ્યો છે.