કર્કશા પત્નીથી ત્રાસેલા પતિને ફૅમિલી કોર્ટે છૂટાછેડા આપ્યા
પત્નીએ વિવાહિત જીવન દરમ્યાન પતિને ઘણો માનસિક ત્રાસ આપ્યો હતો. દંપતીનાં લગ્ન ૨૦૦૯માં નાગપુરમાં થયાં હતાં અને તેઓ પછી મુંબઈ આવ્યાં હતાં. પતિએ દાવો કયોર્ હતો કે તેઓ કદી ખુશ નહોતાં. તેની પત્ની નજીવાં કારણોસર તેની સાથે ઝઘડો કરતી હતી અને ફાવે એમ બોલતી હતી. લગ્નને થોડો સમય વીત્યા બાદ પતિને જાણ થઈ હતી કે તેની પત્ની માનસિક રોગથી પીડાય છે એટલે તેણે મદદ માટે સાસુનો સંપર્ક કયોર્ હતો. સાસુ મદદ કરવાને બદલે તેની પત્નીને કોલ્હાપુર લઈ ગઈ હતી અને તાંત્રિકનો ઉપચાર શરૂ કયોર્ હતો. તેણે પતિ પાસે તાંત્રિકને આપવા નાણાંની માગણી કરી હતી. અરજીનો અભ્યાસ કર્યા પછી કોર્ટે પત્નીને પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું હતું, પરંતુ પત્નીએ પતિના દાવાને ખોટો પુરવાર કરવા કોઈ પ્રયાસ ન કરતાં કોર્ટે પતિને છૂટાછેડાની મંજૂરી આપી હતી.