મુંબઈ: તમે સુધરો, નહીં તો તમારા જુનિયર્સ આપઘાત કરશે
પાયલ તડવી
નાયર હૉસ્પિટલ સ્થિત ટોપીવાલા મેડિકલ કૉલેજમાં પાયલ તડવી આત્મહત્યા કેસમાં તપાસ કરતા અધિકારીઓએ નોંધ્યું હતું કે કેસમાં ધરપકડ કરવામાં આવેલી ત્રણ ડૉક્ટરો જુનિયર ડૉક્ટર્સ સાથે ગેરવર્તન અને રૅગિંગ માટે કુખ્યાત હતી. એક ડૉક્ટરે તેમને ચેતવણી પણ આપી હતી કે તમે જુનિયર ડૉક્ટર્સને હેરાન કરવાનું બંધ નહીં કરો તો કોઈ આત્મહત્યા કરશે અને તમે મુસીબતમાં ફસાઈ જશો.
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ નોંધેલા સાક્ષીઓનાં બયાનમાં ડૉ. હેમા આહુજા, ડૉ. ભક્તિ મેહેર અને ડૉ. અંકિતા ખંડેલવાલની જુનિયર્સને મહેણાં-ટોણાં મારવાની આદત ગંભીર પ્રકારના રૅગિંગરૂપ હતી. બે ડૉક્ટરોએ બયાનમાં જણાવ્યું હતું કે અમે એક વખત અમારા યુનિટ-હેડ ડૉ. ચિંગ લિંગને કહ્યું હતું કે અમે પણ રેસિડન્ટ ડૉક્ટર હતા અને અમારા હાથ નીચે પણ જુનિયર્સ હતા, પરંતુ આ ત્રણ ડૉક્ટરો અતિરેકભર્યું વર્તન કરે છે.’
ADVERTISEMENT
આ પણ વાંચો : મુંબઇમાં વાદળ સાથે પવન ફૂંકાતા ભારે વરસાદ શરૂ
એક ડૉક્ટરે કહ્યું હતું કે ‘મેં આ ત્રણ ડૉક્ટરોને વારંવાર પાયલ તડવીને ત્રાસ આપતાં જોઈ છે. બીજી વખત મેં તેમને કોઈ ખરાબ ઘટના બને એ પહેલાં તમે સુધરી જાઓ એવી ચેતવણી પણ આપી હતી.