Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ધોરાજીઃરક્તરંજિત રજૂઆત

ધોરાજીઃરક્તરંજિત રજૂઆત

20 January, 2019 07:50 AM IST | ધોરાજી
રશ્મિન શાહ

ધોરાજીઃરક્તરંજિત રજૂઆત

લોહી ભીની લાગણી

લોહી ભીની લાગણી


સરકારી નોકરીઓમાં ગોટાળા ચાલતા હોય છે એ તો જગજાહેર છે, પણ એ ગોટાળાને ખુલ્લા પાડવા માટે આદું ખાઈને પાછળ પડી જવાની નીતિ ધરાવનારાઓ હવે જૂજ રહ્યા છે. ધોરાજીના સંકેત મકવાણાએ એવું જ કર્યું છે. ગુજરાત સરકારની પિમ ગુજરાત વીજ કૉર્પોરેશન લિમિટેડની ભરતીમાં થયેલા ગોટાળાઓની રજૂઆત લાંબો સમય સુધી કર્યા પછી પણ કોઈ જાતનો જવાબ ન મળતાં સંકેત મકવાણાએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પોતાના લોહીથી લખેલો પત્ર મોકલીને રજૂઆત કરી છે.

બન્યું એવું હતું કે ફેબ્રુઆરીમાં કરવામાં આવેલી ભરતીના મેરિટમાં કેટલીક વ્યક્તિઓના નંબર ગેરરીતિથી આગળ લઈ લેવામાં આવ્યા અને તેમને જૉબ આપી દેવામાં આવી. સંકેત પાસે આના પુરાવાઓ પણ છે અને તેણે અધિકારીઓને આની રજૂઆત પણ કરી, પરંતુ કોઈએ તેને દાદ આપી નહીં એટલે હવે તેણે મુખ્ય પ્રધાનને લોહીથી લખેલો લેટર મોકલીને રજૂઆત કરી છે. સંકેતે લખેલા ચાર પાનાંના એ લેટરમાં તેણે લખ્યું પણ છે કે જો વિજય રૂપાણી આ બાબતમાં હજી પણ ઘટતું નહીં કરે તો દરરોજ લોહીથી લેટર લખીને તેમના ઘરે મોકલશે.



આ પણ વાંચોઃ સંકટનો શનિવાર: રાજ્યમાં જૂદા જૂદા 2 અકસ્માતમાં 3ના મોત


 


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2019 07:50 AM IST | ધોરાજી | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK