Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફડણવીસ સરકાર વિપક્ષી નેતાઓના ફોન ટેપ કરાવતી હતીઃ અનિલ દેશમુખ

ફડણવીસ સરકાર વિપક્ષી નેતાઓના ફોન ટેપ કરાવતી હતીઃ અનિલ દેશમુખ

24 January, 2020 10:15 AM IST | Mumbai

ફડણવીસ સરકાર વિપક્ષી નેતાઓના ફોન ટેપ કરાવતી હતીઃ અનિલ દેશમુખ

અનિલ દેશમુખ

અનિલ દેશમુખ


મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે અગાઉની દેવેન્દ્ર ફડણવીસ સરકાર પર વિરોધ પક્ષોના નેતાઓના ફોન ટેપ કરાવવાનો આરોપ મૂક્યો હતો. અનિલ દેશમુખે ગઈ કાલે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે બીજેપીની સરકારે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને વિપક્ષી નેતાઓના ફોન ટેપ કરાવવવાની ફરિયાદોની તપાસ કરવામાં આવશે. 

અનિલ દેશમુખે જણાવ્યું હતું કે ‘ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર પોલીસના સાઇબર સેલને એ વખતમાં વિરોધ પક્ષની પાટલી પર બેસતા નેતાઓના ફોન ટેપ કરવા અને જાસૂસી કરવાની ફરિયાદોની તપાસ કરવાની સૂચના આપી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર વિકાસ આઘાડીની સરકારની રચનાના દિવસોમાં ફોન ટેપિંગ અને જાસૂસીની ઘટનાઓ બની હતી.



આ પણ વાંચો : બંગલાદેશી અને પાકિસ્તાની મુસ્લિમોને ભગાડો : રાજ ઠાકરે


આગલી સરકારે ફોન ટેપિંગ અને જાસૂસી માટે સત્તા અને સરકારી તંત્રનો દુરુપયોગ કર્યો હોવા બાબતે કોઈ શંકા નથી. આગલી સરકારે જાસૂસીમાં ઉપયોગી સ્નૂપિંગ સૉફ્ટવૅરના અભ્યાસ માટે કેટલાક અધિકારીઓને ઇઝરાયલ મોકલ્યા હોવાના પણ અહેવાલો મળ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2020 10:15 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK