મતગણતરી 2019: ગૃહમંત્રાલયે રાજ્યોનો કર્યા અલર્ટ, શાંતિ જાળવી રાખવા અપીલ
ગૃહમંત્રાલયે રાજ્યોનો કર્યા અલર્ટ
મતગણતરી પહેલા ગૃહ મંત્રાલયે રાજ્યોને અલર્ટ કર્યા છે. મતગણતરીના સમયે રાજ્યમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બની રહે તે માટેના પ્રયાસો કરવાની સૂચના આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને DGPને અલર્ટ કર્યા છે. 23મેના દિવસે રાજ્યમાં અશાંતિ ફેલાવાની આશંકા છે. જેને જોતા ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની અપીલ કરી છે.
Ministry of Home Affairs alerts the State Chief Secretaries & DsGP
— ANI (@ANI) May 22, 2019
regarding possibility of eruption of violence in different parts of the
country in connection with the counting of votes tomorrow. MHA
asks States and UTs to maintain law & order, peace & public tranquility. pic.twitter.com/0rZ9TNsC2b
ADVERTISEMENT
મહત્વનું છે કે લોકસભા ચૂંટણી સાત ચરણોમાં થઈ હતી. જે 19 મેના દિવસે ખતમ થયો. જેની મતગણતરી ગુરૂવારે થઈ રહી છે. જેને નજરમાં રાખતા ગૃહમંત્રાલયે અલર્ટ જાહેર કર્યું છે. જેથી કોઈ પણ પ્રકારની ઘટના પર નજર રાખી શકાય અને તેની રોકી શકાય.
આ પણ વાંચોઃ જાણો કેવી રીતે થાય છે મતગણતરી, ક્યારે આવશે ફાઈનલ પરિણામ!