Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ: નારોલ વિસ્તારમાં આવેલા પીપળજ રોડ પર લાકડાના પીઠામાં આગ

અમદાવાદ: નારોલ વિસ્તારમાં આવેલા પીપળજ રોડ પર લાકડાના પીઠામાં આગ

24 March, 2019 09:19 PM IST |

અમદાવાદ: નારોલ વિસ્તારમાં આવેલા પીપળજ રોડ પર લાકડાના પીઠામાં આગ

ગણેશનગરના લાકડાના પીઠામાં લાગી હતી આગ

ગણેશનગરના લાકડાના પીઠામાં લાગી હતી આગ


અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા પીપળજ રોડ પરના પીઠામાં ભીષણ આગ લાગી હતી. આ આગ ગણેશનગરના લાકડાના પીઠામાં લાગી હતી. થોડા જ સમયમાં આગે ભયંકર રૂપ ધારણ કર્યું હતું. આગ જોત જોતામાં આજુબાજુમાં આવેલા રહેણાંક વિસ્તારમાં પ્રસરીને ઝૂંપડાઓને આગની ઝપેટમાં લીધા હતા. જો કે આગના કારણે કોઈ જાનહાનિ થઈ નથી આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ 40 ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ કરાયો હતો

માનવામાં આવી રહ્યું છે કે આગ કચરાના ઢગલામાં લાગી હતી જ પવનના કારણે પ્રસરી હતી અને ફેલાઈ હતી. આગ પહેલા લાકડાના પીઠામાં પહોંચી હતી જેના કારણે તેને વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું અને ત્યારબાદ આસપાસના ઝૂંપડાઓમાં લાગી હતી. આગ લાગવાની માહિતી સાથે જ ફાયર બ્રિગેડની 40 જેટલીઓ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી



 


આ પણ વાંચો: અમદાવાદઃમાત્ર 2 હજાર માટે મિત્રએ કરી મિત્રની હતી

 

આગ વિકરાળ થતાં બ્રિગેડે આગને કાબુ લેવામાં આવી હતી. કોઈ મોટુ નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ ટોરેન્ટ પાવરના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભારે મહેનત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2019 09:19 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK