અમદાવાદ: કોંગ્રેસ બાદ ભાજપના નેતાનો પણ જીવ લીધો કોરોનાએ
પ્રતિકાત્મક તસવીર
કોરોના વાયરસ (COVID-19)નો કહેર ખરેખર દિવસેને દિવસે વધતો જ થાય છે. સામાન્ય માણસ હોય કે રાજકારણી કોઈ આ વાયરસની ચપેટમાંથી બચી નથી શક્યું. ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધતો જ જાય છે. હવે વાયરસે કોંગ્રેસના નેતા બાદ ભાજપના નેતાનો જીવ લીધો છે. અમદાવાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું કોરોનાને લીધે મૃત્તયુ થયું છે.
અમદાવાદના હાથીજણમા આવેલ વિવેકાનંદનગરમા રહેતા અને ભાજપના પૂર્વ મંત્રી એવા ભાજપ બક્ષીપંચના નેતા52 વર્ષીય કેતન પ્રજાપતિનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. કોરોનાની સારવાર દરમ્યાન તેમનું મૃતયુ થયું છે. કેતન પ્રજાપતિનો કોરોના પોઝિટીવ આવતા સારવાર માટે તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા હતા. આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું છે.
ADVERTISEMENT
ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું.
આ પહેલા 26 એપ્રિલે ગુજરાત કોંગ્રેસના નેતા અને અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા 65 વર્ષીય બદ્દરુદ્દીન શેખનું અવસાન થયું હતું.