Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આજથી અમદાવાદ‌‌‌‌‌‌‌ના અમરાઈવાડી સ્ટેશનથી પણ મેટ્રો સર્વિસ શરૂ થશે

આજથી અમદાવાદ‌‌‌‌‌‌‌ના અમરાઈવાડી સ્ટેશનથી પણ મેટ્રો સર્વિસ શરૂ થશે

18 May, 2019 09:52 AM IST | અમદાવાદ

આજથી અમદાવાદ‌‌‌‌‌‌‌ના અમરાઈવાડી સ્ટેશનથી પણ મેટ્રો સર્વિસ શરૂ થશે

4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી મેટ્રોને ગ્રીન લાઈટ

4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી મેટ્રોને ગ્રીન લાઈટ


4 માર્ચના જ્યારે મેટ્રો રેલ સેવાનો પ્રારંભ અમદાવાદમાં થયો હતો ત્યારે એની સફર નાની હતી. ૪ માર્ચે માત્ર અમદાવાદમાં વસ્ત્રાલથી ગામથી એપેરલ પાર્ક સુધીની જ મેટ્રોની શરૂઆત થઈ હતી, પરંતુ હવે મેટ્રોની સેવા વધુ એક સ્ટેશન સુધી વિસ્તરી છે. હવે અમરાઈવાડી સ્ટેશનથી પણ મેટ્રોની સેવા શરૂ થશે.

4 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મેટ્રો રેલ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે અમદાવાદના વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીના મેટ્રોને લીલી ઝંડી આપી હતી. ત્યાર બાદ કેટલાક દિવસો માટે લોકોને ફ્રીમાં મેટ્રોની સવારી કરવાની છૂટ અપાઈ હતી. ત્યાર બાદ આ રૂટ પર મેટ્રો ટ્રેન શરૂ થઈ હતી. ત્યારે આજથી અમરાઈવાડી સ્ટેશનથી પણ મેટ્રોની સેવા શરૂ થશે.



આ પણ વાંચો: રાજકોટ: મેન્યૂવાલા પાનવાલા


ઉલ્લેખનીય છે કે 6 ફેબ્રુઆરીના મેટ્રો ટ્રેનની ટ્રાયલ રન કરવામાં આવી છે. અ અંતર્ગત મેટ્રો ટ્રેનને એપેરલ પાર્કથી અમરાઇવાડી તરફ જતા એલિવેટેડ કૉરિડોર પર અંત્યત ધીમી ગતિએ ચલાવવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2019 09:52 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK