વસઈ-વિરાર ફાયરબ્રિગેડ માટે ૨૫ કરોડ રૂપિયાની જોગવાઈ
Published: 20th October, 2011 19:42 IST
વસઈ-વિરાર મહાનગરપાલિકાની હદમાં જે રીતે બાંધકામ તેમ જ આૈદ્યોગિક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે એ જોતાં ભવિષ્યમાં અનેક બહુમાળી ઇમારતો બનવા લાગશે. આવા સમયે શહેરની ફાયરબ્રિગેડ કોઈ પણ પ્રકારની કટોકટીને પહોંચી વળવા સમક્ષ હોવી જરૂરી છે. ફાયરબ્રિગેડની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ તરત જ અંદાજપત્રમાં ૨૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
દસેક દિવસ અગાઉ ફાયરબ્રિગેડના મુખ્યાલયના ઉદ્ઘાટન સમયે હિતેન્દ્ર ઠાકુરે પણ કહ્યું હતું કે ‘ફાયરબ્રિગેડના વિકાસમાં કોઈ પ્રકારનું રાજકારણ ન હોવું જોઈએ. શહેરના નાગરિકોની સુરક્ષા માટે દરેક પક્ષ સહયોગ આપે એ જરૂરી છે.’
શહેરનો જે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે એ જોતાં બહુમાળી ઇમારતો બનવી શરૂ થાય એ દિવસો દૂર નથી. આવા સમયે સ્નૉર્કેલ સિવાય અન્ય જરૂરી સાધનસામગ્રી ખરીદવા આ અઠવાડિયે મળેલી મહાસભા દ્વારા ફાયરબ્રિગેડ માટે ૨૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ રકમમાંથી ત્રણ વૉટર ટેન્કર વિથ ઍક્સેસરીઝ, ચાર મિની વૉટર ટેન્કર વિથ ઍક્સેસેરીઝ, એક ફોમ ટેન્કર, એક ઇમર્જન્સી રેસ્ક્યુ ટેન્કર સહિત અનેક સામગ્રી ખરીદવામાં આવશે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK