જેમ શાકભાજી જેટલી વધુ કલરફુલ હોય એમ એમાં ગુણકારી તત્ત્વો પણ વધુ હોય એવું જ હવે ધાન્યોમાં થવા માંડ્યું છે. એશિયન દેશો જાતજાતના ચોખા અને ઘઉં માટે જાણીતા છે. જોકે ચોખાની બાબતમાં રંગોની વિવિધતાએ તો ખરેખર આપણી થાળીનો રંગ જ બદલી નાખ્યો છે.
મણિપુર બ્લૅક રાઇસ
ભારતીય સંસ્કૃતિમાં ચોખાને સમૃદ્ધિ અને લક્ષ્મીનું પ્રતીક ગણવામાં આવે છે અને એમાંય દક્ષિણ ભારત અને પૂર્વોત્તર રાજ્યોમાં ચોખા મુખ્ય ખોરાક તરીકે પુરાણકાળથી ઉપયોગમાં લેવાય છે, પણ હમણાં બે અલગ-અલગ કારણોને લીધે બે અલગ-અલગ પ્રકારના ચોખા ખૂબ ચર્ચામાં છે. કારણો ભલે બન્ને ચોખા બાબતે જ હોય, પણ એમાંનું એક કારણ ભારત સાથે સંકળાયેલું છે જે કદાચ ભવિષ્યમાં ખુશી અને સમૃદ્ધિ લઈ આવનારું બની શકે અને બીજું કારણ ફિલિપીન્સ સાથે સંકળાયેલું છે, પરંતુ છે ચોખા બાબતે જ.



