Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > કેવો આહાર સેફ છે અને કયો નહીં એની ગાઇડલાઇન બહાર પાડી છે FSSAIએ

કેવો આહાર સેફ છે અને કયો નહીં એની ગાઇડલાઇન બહાર પાડી છે FSSAIએ

08 June, 2024 11:51 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ પર FSSAIએ ખોરાકને સુરક્ષિત બનાવવા માટે કેટલીક મહત્ત્વની બાબતો જણાવી હતી

પ્રતીકાત્મક તસવીર

લાઇફમસાલા

પ્રતીકાત્મક તસવીર


જે વસ્તુ સુરક્ષિત નથી, એ આહાર નથી એવો મેસેજ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍ઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ આપ્યો છે. ગઈ કાલે વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ પર FSSAIએ ખોરાકને સુરક્ષિત બનાવવા માટે કેટલીક મહત્ત્વની બાબતો જણાવી હતી. FSSAI કહે છે કે ભોજન બનાવતી વખતે વારંવાર હાથ ધોવા જોઈએ તેમ જ પ્લૅટફૉર્મ સહિતની સપાટીઓ અને વાસણ સ્વચ્છ રાખવાં જોઈએ. આપણે ક્યારેક બપોરનું ભોજન રાતે લેતા હોઈએ છીએ તો ક્યારેક ફ્રિજમાં રાખેલી વસ્તુ બીજા દિવસે ખાતા હોઈએ છીએ. આ વિશે FSSAI ચેતવે છે કે ઘરે બનેલું ભોજન બે કલાકથી વધુ સમય સુધી રૂમ ટેમ્પરેચર પર રાખવાથી બગડી જાય છે અને એને રેફ્રિજરેટરમાં પણ વધારે સમય ન રાખવું જોઈએ.


આ ઉપરાંત રૉ મીટ, પોલ્ટ્રી અને સીફૂડને અન્ય વસ્તુઓથી અલગ રાખવાં જોઈએ. સૂપ જેવી વાનગીઓને ૭૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી રાંધવી જોઈએ. તો પહેલાંથી તૈયાર થઈ ગયેલું ભોજન ખાતાં પહેલાં એને સારી રીતે ગરમ કરવું જોઈએ. FSSAI આહારને સુરક્ષિત બનાવવા માટે સ્વચ્છ પાણી વાપરવાની સલાહ આપે છે. ફૂડ રેગ્યુલેટર એવું પણ કહે છે કે હંમેશાં ફળો કે શાકભાજી તાજાં ખાવાં જોઈએ અને એને ઉપયોગમાં લેતાં પહેલાં સારી રીતે ધોવાં જોઈએ. એક્સ્પાયરી ડેટ બાદ કોઈ પણ ફૂડ ન ખાવું જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2024 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK