સિતાંશુ યશ્ચચંદ્ર (Sitanshu Yashaschandra)એટલે ઘેરો અને જટાયુ જેવી રચનાઓનાં સર્જક. પ્રબોધ પરીખ (Prabodh Parikh) સાથે તેમની દોસ્તી દાયકાઓ જુની છે. સાહિત્ય એકેડેમી દિલ્હીના નેજા હેઠળ પ્રબોધ પરીખે સિતાંશુ યશ્ચચંદ્ર પર એક વિશેષ ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવી જેનું સ્ક્રીનિંગ કાંદિવલી બાલભારતી ખાતે કરાયું. આ પછી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સિતાંશુ યશ્ચચંદ્ર અને પ્રબોધ પરીખ સાથે વિશેષ વાર્તાલાપ કર્યો, જાણો શબ્દો અને ચિહ્નો વચ્ચે રચાયેલી ફ્રેમ્સની વાતો.