Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



રામ રોજ કરતા હતા સૂર્યપૂજા

17 April, 2024 07:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વૈદિક કાળથી સૂર્યને પ્રત્યક્ષ દેવ માનીને પૂજવામાં આવે છે. સૂર્ય શક્તિનો સૌથી મોટો સ્રોત છે.

ભગવાન રામ

ભગવાન રામ


ત્રેતાયુગમાં ભગવાન રામ સૂર્યવંશી કુળમાં જન્મ્યા હતા અને તેઓ બાળપણથી જ રોજ સૂર્યની પૂજા કરતા હતા. મહર્ષિ અગસ્ત્યે રામને સૂર્યના સૌથી પ્રભાવી મંત્ર આદિત્ય હૃદયસ્તોત્રની દીક્ષા આપી હતી. રામ રોજ સવારે સૂર્યને અર્ઘ્ય આપતા હતા. વૈદિક કાળથી સૂર્યને પ્રત્યક્ષ દેવ માનીને પૂજવામાં આવે છે. સૂર્ય શક્તિનો સૌથી મોટો સ્રોત છે. હિન્દુ ધર્મમાં પણ પંચદેવની પૂજાનું માહાત્મ્ય છે જેમાં ગણેશ-ઉપાસના, શિવ-ઉપાસના, વિષ્ણુ-ઉપાસના, દેવી-ઉપાસના અને સૂર્ય-ઉપાસનાનો સમાવેશ છે. એવું માનવામાં આવે છે કે રોજ સૂર્ય-ઉપાસના કરવાથી વિવિધ રોગોમાંથી મુક્તિ મળે છે. આ ઉપાસના એકદમ સરળ છે. સૂર્યદેવને પ્રસન્ન કરવા સૂર્યોદય વખતે તેમને પાણીથી અર્ઘ્ય આપવાનો હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2024 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK