Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > Chaitra Navratri 2023: કળશ સ્થાપન માટે આ સમય યોગ્ય, નિયમોમાં કોઈ ચૂક ન થાય તેનું ખાસ ધ્યાન રાખો

Chaitra Navratri 2023: કળશ સ્થાપન માટે આ સમય યોગ્ય, નિયમોમાં કોઈ ચૂક ન થાય તેનું ખાસ ધ્યાન રાખો

22 March, 2023 08:53 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ચૈત્રી નવરાત્રિ (Chitra Navratri 2023)22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ સાથે પિંગલ નામના સંવત્સર એટલે કે હિંદુ નવું વર્ષ પણ શરૂ થશે. આ વર્ષે ચૈત્રી નવરાત્રિમાં માતાનું વાહન હોડી રહેશે.

ચૈત્રી નવરાત્રિ

ચૈત્રી નવરાત્રિ


ચૈત્રી નવરાત્રિ (Chitra Navratri 2023)22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ સાથે પિંગલ નામના સંવત્સર એટલે કે હિંદુ નવું વર્ષ પણ શરૂ થશે. આ વર્ષે ચૈત્રી નવરાત્રિમાં માતાનું વાહન હોડી રહેશે.નવરાત્રિ ઉત્સવ વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. આસો અને ચૈત્રી માસની નવરાત્રિ સૌથી વધુ લોકપ્રિય છે. ચૈત્રી નવરાત્રીથી જ નવા યુગની શરૂઆત થઈ.

ચેત્રી નવરાત્રિ આ વર્ષે નવે નવ દિવસ ઉજવવામાં આવશે. નવરાત્રિ દરમિયાન 3 સર્વાર્થ સિદ્ધિ યોગ 23 માર્ચ, 27 માર્ચ અને 30 માર્ચના રોજ છે. જયારે કે અમૃત સિદ્ધિ યોગ 27માર્ચના રોજ લાગશે. રવિ યોગ 24 માર્ચ, 26 માર્ચ અને 29 માર્ચના રોજ લાગશે. નલરાત્રિના અંતિમ દિવસે રામનવમીના દિવસે ગુરુ પુષ્ય યોગ પણ રહેશે. નવરાત્રિની શરૂઆત ઘટસ્થાપનાથી કરવામાં આવશે. ચાલો જાણીએ કે  નવરાત્રિ પર ઘટસ્થાપના ના નિયમ અને સાચું મુહૂર્ત શું છે.



કળશ સ્થાપના મુહૂર્ત


આ વખતે નવરાત્રિની પ્રતિપદા 22 માર્ચે આવી રહી છે. આ દિવસે કળશની સ્થાપના પણ કરવામાં આવશે. ઘટસ્થાપન માટેનો શ્રેષ્ઠ સમય 06:23 થી 07:32 સુધી રહેશે. 

આ પણ વાંચો: Chaitra Navratri 2023: કરો આ વાસ્તુ ટિપ્સનો ઉપાય, મળશે લાભ


કળશ સ્થાપન વખતે ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો

  • કળશને ખોટી દિશામાં સ્થાપિત કરવાથી બચો. ઈશાન ખૂણો (ઉત્તર-પૂર્વ) દેવતાઓની દિશા હોય છે. આ દિશામાં જ કળશ સ્થાપન કરવું જોઈએ. 
  • જો તમે શારદીય નવરાત્રિ પર કળશ સ્થાપિત કરવા જઈ રહ્યા છો, તો ધ્યાન રાખો કે કળશનું મોઢું ખુલ્લું ન રહે. તેને હંમેશાં કોઈ કપડાંથી કે અન્ય વસ્તુથી ઢાંકીને રાખો. કપડાં પર ચોખા મુકી એની બરોબર વચ્ચે  નાળિયેર રાખો. 
  • કળશ સ્થાપિત કરતા પહેલા માતાની સામે અખંડ જ્યોત પ્રગટાવો. આ દિશા દક્ષિણ-પૂર્વ અગ્નિ ખૂણામાં રાખો.કળશ સ્થાપિત કરતી વખતે સાધકે પોતાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું જોઈએ. 
  • ઘરમાં તમે જે પણ સ્થાન પર કળશ સ્થાપન કરવાનો હોય કે દેવી માતાનું સ્થાપના કરવાના હોય તે જગ્યાએ સ્વસ્થતાનું ખુબ જ ધ્યાન રાખો. ઘટસ્થાપન ચંદન પર કરવું શુભ છે. 
  • ઘટસ્થાપનનું સ્થાન બાથરુમ કે રસોડાની નજીક ન હોવું જોઈએ. જો પૂજા સ્થળ ઉપર કોઈ કબાટ કે સામાન રાખવા માટે ગોખલાં હોય તો તેને પણ સાફ કરો. 

કળશ સ્થાપનની વિધિ શરૂ કરતા પહેલા સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યાર બાદ એક સ્વચ્છ જગ્યા પર લાલ રંગનું કપડું પાથરી દેવી માતાની પ્રતિમાનું સ્થાપન કરો. આ કપડાં પર થોડા ચોખા રાખો. માટીના વાસણમાં જવ વાવો. આ વાસણ પર પાણી ભરેલું કળશ સ્થાપિત કરો. કળશ પર સ્વસ્તિક બનાવો અને તેના પર કલવ બાંધો. કળશમાં આખી સોપારી, સિક્કો અને અક્ષત મૂકીને અશોકના પાન રાખો. એક નાળિયેર લો અને તેના પર ચુન્રી લપેટી અને તેને કાલવથી બાંધી દો.એક નાળિયેર લો અને તેના પર ચુદંડી લપેટી અને તેને કાલવથી બાંધી દો. આ નારિયેળને કળશ પર રાખીને દેવી દુર્ગાનું આહ્વાન કરો. નવરાત્રિમાં દેવી પૂજા માટે સોનું, ચાંદી, તાંબુ અથવા માટીનો કુંભ મુકવામાં આવે છે. 

 

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2023 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK