Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > કુદરતી પ્રક્રિયામાં સતત હિંસા જ હિંસા રહી છે

કુદરતી પ્રક્રિયામાં સતત હિંસા જ હિંસા રહી છે

13 December, 2022 05:17 PM IST | Mumbai
Swami Satchidananda

પાપ-પુણ્યનો સંબંધ માત્ર સ્થૂળ ક્રિયાથી જ નથી હોતો, મનોભાવથી હોય છે. પશુ-પક્ષીઓ પણ શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરે છે. એમને ખબર જ નથી કે એમના શ્વાસોચ્છ્વાસથી હિંસા થાય છે. તેઓ કુદરતસહજ જીવન જીવે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ચપટી ધર્મ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


ગઈ કાલે કહ્યું એમ સૂક્ષ્મ જીવાણુઓને ન મારીએ કે ન મરાવીએ તો આપણે હવા ગ્રહણ ન કરી શકીએ, પાણી પી ન શકીએ અને આહાર પણ ગ્રહણ કરી શકીએ નહીં. એટલે આ પ્રકારની અહિંસા અવ્યાવહારિક જ ગણાય. એ શક્ય જ નથી. હવે આપણે કુદરતી પરિપ્રેક્ષ્યમાં આ જ વસ્તુસ્થિતિને જોઈએ.

ઘઉં, બાજરી વગેરે અનાજ વાવ્યા પછી બે-ત્રણ મહિનામાં તૈયાર થઈ જાય છે. તૈયાર થયા પછી એના છોડ આપોઆપ સુકાવા લાગે. પછી ગમે એટલું પાણી પીવડાવો તો પણ એમને લાંબો સમય જીવિત રાખી શકાય નહીં. આ કુદરતી વ્યવસ્થા છે. એમનાં કણસલાંનું અનાજ મનુષ્યો માટે અને છોડના પૂળા પશુઓના આહાર માટે કામમાં આવે છે. એ ખેતીથી અસંખ્ય માણસો તથા અનેકાનેક પશુ-પક્ષીઓ વગેરે જીવન ધારણ કરે છે. આવી ખેતીને મહાપાપ ગણવી એ જ મહાપાપ છે. 



માનો કે આખો દેશ ખેતીને મહાપાપ માનનારો થઈ જાય અને ખેતી કરવાની બંધ કરે તો શું થાય? 


એક રીતે આ વાત માનવદ્રોહ અને જીવમાત્રનો દ્રોહ કર્યો કહેવાય. રાષ્ટ્ર ભૂખે મરે, પશુ-પક્ષીઓ ભૂખે મરી જાય. ઉપનિષદો કહે છે : અનં બહુકુર્વિત તદ્ગતમ્.

અર્થાત્ અનાજના ઢગલેઢગલા પેદા કરજો. આ તમને વ્રત આપવામાં આવે છે. 


ગુરુકુળથી ભણી-ગણીને વિદાય થતા વિદ્યાર્થીઓને ઋષિનો આ ઉપદેશ છે જેનું તેમણે પાલન કરવાનું છે. 

ફરી-ફરીને એક જ પ્રશ્ન થાય છે કે ભલે હવા-પાણી-અનાજ વગેરે વિના જીવી ન શકાય, પણ અમાં અસંખ્ય જંતુઓ રહે છે અને મરે છે એ વાત તો સાચીને? 

હા, એ વાત સાચી. 

‘તો પછી એમાં પાપ લાગે કે ન લાગે?’ 

આનો ઉત્તર છે : ‘ના લાગે.’ 

આ પણ વાંચો :  અહિંસાનો નિયમ પાળો તો ખેતી થઈ જ ન શકે

આ કુદરતી પ્રક્રિયા છે. કુદરતી પ્રક્રિયામાં સતત હિંસા જ હિંસા છે. એને તમે રોકી શકો નહીં. વળી પાપ-પુણ્યનો સંબંધ માત્ર સ્થૂળ ક્રિયાથી જ નથી હોતો, મનોભાવથી હોય છે. પશુ-પક્ષીઓ પણ શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરે છે. એમને ખબર જ નથી કે એમના શ્વાસોચ્છ્વાસથી હિંસા થાય છે. તેઓ કુદરતસહજ જીવન જીવે છે. એમાં ‘જીવો જીવસ્ય ભક્ષણમ્’નો કુદરતી સિદ્ધાંત કામ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

13 December, 2022 05:17 PM IST | Mumbai | Swami Satchidananda

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK