'યે હૈં મોહબ્બતેં' એવી રીતે પૂરી કરવી છે જેથી સેકન્ડ સીઝન શરૂ થઈ શકે
'યે હૈં મોહબ્બતેં'
કરણ પટેલ, દિવ્યાંકા ત્રિપાઠી, અદિતિ ભાટિયા અને અનીતા હસનંદાની જેવા ઍક્ટરોને સ્ટાર બનાવી દેતી બાલાજી ટેલિફિલ્મ્સની સ્ટાર પ્લસ પર આવતી ડેઇલી શૉપ ‘યે હૈં મોહબ્બતેં’નો એન્ડ હવે નજીક છે, પણ સ્ટાર પ્લસ ઇચ્છે છે કે આ સિરિયલનો અંત સામાન્ય વાર્તાઓની જેમ ખાધું, પીધું ને રાજ કર્યું એવો ન આવે, પણ એને બદલે સિરિયલમાં છેલ્લે એવો મોટો હૂક પૉઇન્ટ છોડવામાં આવે જેથી એની સેકન્ડ સીઝન શરૂ કરવામાં સરળતા રહે અને એ શરૂ કરતી વખતે પણ સરળતા રહે.
આ પણ જુઓ : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી
ADVERTISEMENT
ત્રણ પેઢી સુધીની જનરેશન આ સિરિયલમાં દેખાડી દેવામાં આવી છે એટલે હવે થર્ડ જનરેશન પર જ ફોકસ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. સિરિયલ પૂરી થતી હોવાથી જ કરણ પટેલને પાછો લઈ આવવામાં આવ્યો છે. અગાઉ કરણનું રિપ્લેસમેન્ટ પણ કરી નાખવામાં આવ્યું હતું. સિરિયલ પૂરી કરવાનાં ઘણાં કારણો પૈકીનું એક કારણ એની સ્ટારકાસ્ટ છે. સ્ટાર્સને અઢળક બીજાં કામ મળી રહ્યાં હોવા છતાં સ્ટાર્સ છેલ્લાં સાત વર્ષથી આ એક જ સિરિયલ કરી રહ્યા છે, જેને લઈને તેમણે કામ છોડવું પડે છે, જે હવે તે છોડવા માગતા નથી.